વાપીમાં સાંસદ કે.સી.પટેલે ભાંગરો વાટ્યો, અપક્ષને ખરીદવાને લઇને કહી આ વાત
ભાજપના સાંસદ કે.સી.પટેલે પોતાના વક્તવ્ય દરમિયાન સ્વીકાર કર્યો હતો કે, ભૂતકાળમાં જ્યારે ઉમરગામ તાલુકા પંચાયતમાં બહુમતી ના મળતી ત્યારે અપક્ષને ખરીદવા પડતા હતા.
ગુજરાતમાં (Gujarat) વલસાડના વાપીમાં(Vapi) આયોજીત ભાજપના(Bjp) સ્નેહમિલન (Sneh Milan)કાર્યક્રમમાં સાંસદ કે.સી.પટેલે(KC Patel) ભાંગરો વાટ્યો હતો. કે.સી.પટેલે પોતાના વક્તવ્ય દરમિયાન સ્વીકાર કર્યો હતો કે, ભૂતકાળમાં જ્યારે ઉમરગામ તાલુકા પંચાયતમાં બહુમતી ના મળતી ત્યારે અપક્ષને ખરીદવા પડતા હતા. સાંસદના આ નિવેદનને લઈ ભાજપના કાર્યકર્તાઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપે એક દિવસ એક જિલ્લો નામની નવી રણનીતિ ઘડી છે. આ આયોજન અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક દિવસ એક જિલ્લા માટે ફાળવશે.
સી.આર.પાટીલે આ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, નાના કાર્યકર્તાઓથી ઉદ્યોગતિ અને સમાજના અગ્રણીઓને મળીશું અને નાની-મોટી ફરિયદો સાંભળી તેમના સૂચન પણ લઈશું. ઉલ્લેખનીય છે કે, વાપીમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં આકાર પામશે વિશ્વનું સૌથી ઉંચુ 504 ફૂટ મા ઉમિયાનું મંદિર, સોમવારથી થશે નિર્માણ કાર્યનો શુભારંભ
આ પણ વાંચો : ધર્માંતરણના વિવાદમાં મોટા ખુલાસા : 1 કરોડમાં ઘર વેચી હિંદુઓને ચાલ્યા જવા લાલચ અપાઈ