T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે વિરાટ કોહલી અને હાર્દિક પંડયા

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પરંતુ બંને ખેલાડીઓને IPLમાં તેમની ટીમની નિષ્ફળતા માટે સૌથી વધુ દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. હવે 2007નો વર્લ્ડ કપ વિજેતા એસ શ્રીસંત આ બંનેના સમર્થનમાં સામે આવ્યો છે. તેણે આ જોડીને ભારત માટે ગેમ ચેન્જર ગણાવી છે.

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે વિરાટ કોહલી અને હાર્દિક પંડયા
Hardik Pandya & Virat Kohli
Follow Us:
| Updated on: May 03, 2024 | 9:29 PM

T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા એ બે નામ છે જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. એક તરફ વિરાટના સ્ટ્રાઈક રેટને લઈને હોબાળો થઈ રહ્યો છે તો બીજી તરફ પંડ્યાના ફોર્મ પર સવાલો થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવતા અનેક ફેન્સની સાથે ઘણા ક્રિકેટ એક્સપર્ટ પણ નારાજ થયા હતા. આ બંને ખેલાડીઓ પર ઉઠી રહેલા સવાલો વચ્ચે 2007નો T20 વર્લ્ડ કપ વિજેતા એસ શ્રીસંત તેમના સમર્થનમાં સામે આવ્યો છે. શ્રીસંતનું માનવું છે કે આ બંનેની હાજરીથી ભારતને ઘણો ફાયદો થવાનો છે. આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

કોહલી અને પંડ્યાની જોડી કમાલ કરશે

એસ શ્રીસંતે કોહલી અને પંડ્યાની જોડીને ભારત માટે ફાયદાકારક ગણાવી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વર્લ્ડકપ ટીમનું વિશ્લેષણ કરતા તેણે કહ્યું કે બંને ખેલાડીઓ મોટી મેચોમાં ખૂબ જ ઉપયોગી થશે. ખાસ કરીને રન ચેઝ દરમિયાન, આ બંનેની જોડી અજાયબીઓ કરી શકે છે. જેમ બંનેએ 2022 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હારને પલટી નાખી હતી.

ટ્રમ્પ કાર્ડ સાબિત થશે વિરાટ અને હાર્દિક

હાર્દિકની બોલિંગના વખાણ કરતા તેણે કહ્યું કે તે નવા અને જૂના બંને બોલથી ઓવર નાંખી શકે છે. મોટી મેચોમાં બંનેનું પ્રદર્શન શાનદાર છે, આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ ફરી એકવાર ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. તેણે હાર્દિકને સલાહ આપી કે તેણે IPL ભૂલીને T20 વર્લ્ડ કપમાં ભાગ લેવો જોઈએ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હાર્દિક જેવું કોઈ નથી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડી અને શ્રીસંત ચર્ચા કરી રહ્યા હતા. મૂડીએ કહ્યું કે ભારત પાસે હાર્દિકના કદનો કોઈ ખેલાડી નથી. અલબત્ત, કેટલાક ખેલાડીઓએ IPLમાં તેના કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ટોપ-6માં બેટિંગ કરી શકે અને 4 ઓવર પણ ફેંકી શકે તેવો કોઈ ખેલાડી નથી.

IPLમાં વિરાટ-હાર્દિકનું પ્રદર્શન

વિરાટ કોહલી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે 10 ઈનિંગ્સમાં 500 રન પણ બનાવ્યા છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ ચિંતાનો વિષય હતો. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે આના કારણે ભારતને નુકસાન થઈ શકે છે. ઈજામાંથી પરત ફરેલા હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપના વિવાદનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય તેનું આ સિઝનમાં પ્રદર્શન એવરેજ રહ્યું છે. તે 10 મેચમાં માત્ર 6 વિકેટ લઈ શક્યો છે જ્યારે તેના બેટથી પણ માત્ર 197 રન જ બનાવી શક્યા હતા.

આ પણ વાંચો : IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્મા બહાર, કેપ્ટન હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">