AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાલનપુર-અંબાજી હાઈવે પર ભરાયા 3 થી 4 ફૂટ પાણી, વાહનચાલકોમાં રોષનો માહોલ, જુઓ Video

પાલનપુર-અંબાજી હાઈવે પર ભરાયા 3 થી 4 ફૂટ પાણી, વાહનચાલકોમાં રોષનો માહોલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2025 | 11:19 AM

ભર ઉનાળે બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. પાલનપુર-અંબાજી હાઈવે પર 3થી4 ફૂટ જેટલા પાણી ભરાયા છે. મુખ્ય હાઈવે પર જ પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ભર ઉનાળે બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. પાલનપુર-અંબાજી હાઈવે પર 3થી4 ફૂટ જેટલા પાણી ભરાયા છે. મુખ્ય હાઈવે પર જ પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણીમાં ફસાવવાને કારણે અનેક વાહનો બંધ પડ્યા છે. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા વાહનચાલકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.

અંબાજી મંદિરના ચોકમાં ભરાયા પાણી

બનાસકાંઠાના અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ પાણી ભરાયા છે. મોડી સાંજ સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મંદિર પરિસરમાંથી ભરાયેલા પાણી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

થરાદમાં પડ્યા કરા

બીજી તરફ બનાસકાંઠાના થરાદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે. મોરથલ સહિતના ગામડાઓમાં કરા પડ્યા છે. ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત અંગ દઝાડતી ગરમી વચ્ચે વરસાદ પડતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">