NDA ની સરકાર રચવા દિલ્હીમાં દિવસભર ચાલ્યો ધમધમાટ, ગુજરાતમાંથી આટલા હશે પ્રધાન !

આજે ગુરુવાર સવારથી જ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની રચનાને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. જે પી નડ્ડાના ઘરે ભાજપના સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના દત્તાત્રેય હોસબોલે સહિતના નેતાઓની બેઠકે મોદી મંત્રીમંડળને આકાર આપી દીધો હોવાનું માનવામાં આવે છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 06, 2024 | 6:36 PM

દિલ્હીમાં એનડીએની ગઈકાલ બુધવારે સાંજે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે નરેન્દ્ર મોદીને એનડીએના નેતા પસંદ કર્યા બાદ, હવે કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત તેજ થઈ છે. આજે સવારથી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ભાજપના સાંસદો અને એનડીએના ઘટક પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. આવા સંજોગોમાં એ વાત સ્પષ્ટ થાય છે કે, મોદીનું મંત્રીમંડળ પ્રારંભમાં નાનુ હોઈ શકે છે.

આજે ગુરુવાર સવારથી જ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની રચનાને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. જે પી નડ્ડાના ઘરે ભાજપના સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના દત્તાત્રેય હોસબોલે સહિતના નેતાઓની બેઠકે મોદી મંત્રીમંડળને આકાર આપી દીધો હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતને લાગે છે ત્યા સુધી ગુજરાતમાંથી અમિત શાહ અને રાજ્યસભામાં ચૂંટાયેલા એસ જયશંકરનુ સ્થાન નક્કી છે. જો કે, કોરોનાકાળમાં સારી કામગીરી કરનાર આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને પણ સ્થાન મળે તેમ લાગી રહ્યું છે. આજે મનસુખ માંડવિયા અને અશ્વિની વૈષ્ણવને બે વાર જે પી નડ્ડાએ બોલાવ્યા હતા.

આ ઉપરાંત રાજનાથસિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, એસ જયશંકર અને નિર્મલા સીતારમણના નામ નક્કી માનવામાં આવી રહ્યાં છે.

આવતીકાલ શુક્રવારે પાર્લામેન્ટના હોલમાં, એનડીએના ઘટકદળના સાંસદોની એક બેઠક યોજાનાર છે. જેમાં એનડીએના ઘટકદળના મુખ્યપ્રધાનો પણ હાજર રહેશે. આ બેઠક બાદ, રાષ્ટ્રપતિને મળીને, દેશમાં એનડીએની સરકાર રચવાનો દાવો રજૂ કરાશે. ત્યાર બાદ એવુ માનવામાં આવે છે કે, મોદી મંત્રીમંડળની શપથવિધિ આગામી 9 જૂનના રોજ સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે.

 

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">