Ahmedabad : સતત ત્રીજા દિવસે ગટરમાં પડેલા કર્મચારીને શોધવા ફાયર બ્રિગેડના જવાનોએ તપાસ તેજ કરી
20 જાન્યુઆરીએ સાંજે 4 કલાકની આસપાસ રાજુ પરમાર ગટરમાં પડી ગયો. આ અંગેનો કોલ મળતા જ ફાયરના જવાનોએ સાણંદ ચોકડીથી 5 કિલોમીટર સુધીની ગટર લાઈનમાં તપાસ હાથ ધરી.
અમદાવાદની સાણંદ ચોકડી પાસે ગટરમાં પડેલા કર્મચારીને શોધવા ત્રીજા દિવસે ફાયર બ્રિગેડના જવાનોએ તપાસ તેજ કરી છે. 20 જાન્યુઆરીએ સાંજે 4 કલાકની આસપાસ રાજુ પરમાર ગટરમાં પડી ગયો. આ અંગેનો કોલ મળતા જ ફાયરના જવાનોએ સાણંદ ચોકડીથી 5 કિલોમીટર સુધીની ગટર લાઈનમાં તપાસ હાથ ધરી. ફાયર બ્રિગેડના જવાનોએ આસપાસમાં આવેલી ગટરના 4 ડ્રેનેજ પોઈન્ટ ચેક કર્યા.
STP પ્લાન્ટ સુધી કરેલી તપાસમાં પણ કોઈ ભાળ ન મળી
આ ઉપરાંત STP પ્લાન્ટ સુધી કરેલી તપાસમાં પણ ગુમ કર્મચારીની કોઈ ભાળ મળી નથી. ફાયર બ્રિગેડે અદ્યતન કેમેરાથી કરેલી તપાસમાં કોઈ ભાળ ન મળતા ગટરમાં પડેલો કર્મચારી ક્યાંક ફસાઈ ગયો હોવાની આશંકા છે.તો બીજી શક્યતા એ છે કે ગટરમાં પાણીનું વહેણ વધારે હોવાથી વ્યક્તિ આગળ તણાઈ ગયો હોઈ શકે. દુર્ઘટનાના કલાકો બાદ પાણી ભરાઈને ફૂલાઈ જવાથી બોડી ઉપર આવી જવું જોઈએ. પરંતુ બોડી ઉપર ન આવતા આ કર્મચારી ક્યાંક ફસાઈ ગયાની શક્યતા છે.
Latest Videos
Latest News