Video: અમદાવાદમાં CEPT યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ યોજાયો, 600 વિદ્યાર્થીઓને એનાયત કરાઈ ડિગ્રી

Ahmedabad: CEPT યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમા દેશના અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ અહલુવાલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં 5 વિદ્યાશાખાના 600 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 12:02 AM

અમદાવાદમાં દેશની ખ્યાતનામ યુનિવર્સિટી CEPTનો 17મો પદવીદાન સમારોહ યોજાયો. જ્યાં પાંચ વિદ્યા શાખાઓના 600થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. સમારોહમાં દેશના અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ અહલુવાલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને દેશનું પર્યાવરણ સુરક્ષિત રહે એવા ટાઉન પ્લાનર બનવાની સલાહ આપી.

સમારોહમાં CEPTના વિદ્યાર્થીઓ માટે 4 હજારની ક્ષમતાવાળી હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી. અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહે જણાવ્યું કે આર્થિક વિકાસ સાથે દેશમાં શહેરીકરણ પણ વધી રહ્યું છે, 2050માં દેશની વસ્તી 700 મિલિયન થશે. ત્યારે મોટા શહેરોમાં વસ્તીગીચતા વધી રહી છે અને એના જ કારણે નાના શહેરો કે જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સારું હોય એનો વિકાસ થવો જરૂરી છે.

આ તકે મીડિયા સાથેની વાતચીતમાં મોન્ટેરસિંહે જણાવ્યુ કે ભારતમાં ‘નોન-મેટ્રો’ શહેરોનો વિસ્તાર કરવાની જરૂર છે. રાજ્ય સરકારોએ રોકાણ અને પ્રતિભાને આકર્ષવા હોય તો ‘રહેવાલાયક’ શહેરો પૂરા પાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે ભારતમાં બિન-મેટ્રોપોલિટન અને ટાયર- II શહેરોના વધુ વિસ્તરણ પર ધ્યાન આપવાની જરૂર છે, જે સંપૂર્ણપણે રાજ્ય સરકારોના હાથમાં છે. કેન્દ્ર સરકાર આ દિશામાં થોડું ભંડોળ આપીને મદદ કરી શકે છે, પરંતુ વાસ્તવિક પ્રોત્સાહન રાજ્ય

આ પણ વાંચો: મોઢેરા ઉત્તરાર્ધમાં મહોત્સવ-2023નો પ્રારંભ, મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ઘૂંઘરૂના ઝનકાર અને નર્તનથી સર્જાયો નયનરમ્ય નજારો

વધુમાં મોન્ટેકસિંહે જણાવ્યુ કે આપણા મેટ્રોપોલિટન શહેરો ઘણા જ ઓવર ક્રાઉડેડ છે. આથી નાના શહેરોનો વિસ્તાર કરવો પડશે. સિટી પ્લાનર્સે જોવુ પડશે કે હાઉસિંગ સ્કીમ બરાબર હોવી જોઈએ. તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ આધુનિક બનવુ જોઈએ. વધુમાં તેમણે જણાવ્યુ કે મને આશા છે કે સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટાઉન પ્લાનિંગમાં મદદરૂપ થઈ શકે છે. તેમની પાસે તાલીમ તો છે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">