વિવાદીત નિવેદન મુદ્દે પરશોત્તમ રૂપાલાએ માગી માફી, કહ્યું- મારો આશય માત્ર વિધર્મીઓના જુલમનું નિરૂપણ કરવાનો હતો

આ વિવાદ વધુ વકરે નહીં અને વિરોધનો વંટોળ ઉભો ના થાય તે માટે રૂપાલા હરકતમાં આવ્યા હતા અને બે હાથ જોડીને સમાજની માફી માગી હતી. રૂપાલાએ સ્પષ્ટતા કરી કે તેમનો ઇરાદો કોઇ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો નહોતો. તેમ છતાં જો નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2024 | 7:22 PM

કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં જાહેર મંચ પરથી એક નિવેદન આપ્યું હતું કે, રાજા રજવાડાઓએ અંગ્રેજો સાથે વ્યવહાર કર્યો, અને રૂખી સમાજ પર દમન ગુજાર્યું. રૂપાલાએ દાવો કર્યો મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. જોકે દમન સામે રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો.

રૂપાલાએ આરોપ લગાવ્યો હતો કે અંગ્રેજોના કાળમાં સૌથી વધુ દમનનો શિકાર રૂખી સમાજ બન્યો હતો. તો રાજવીઓને લઇને આપવામાં આવેલા રૂપાલાના નિવેદન બાદ રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.

ત્યારે આ વિવાદ વધુ વકરે નહીં અને વિરોધનો વંટોળ ઉભો ના થાય તે માટે રૂપાલા હરકતમાં આવ્યા હતા અને બે હાથ જોડીને સમાજની માફી માગી હતી. રૂપાલાએ સ્પષ્ટતા કરી કે તેમનો ઇરાદો કોઇ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો નહોતો. તેમ છતાં જો નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છું. રૂપાલાએ માફી માગવા સાથે આ વિવાદને અહીં જ પૂર્ણ કરવાની પણ વિનંતી કરી.

Follow Us:
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">