ગીરના 16 થી વધુ ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, ઈકોઝોનની અમલવારી સામે ચલાવી રહ્યા છે લડત- વીડિયો

દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં તાકાત લગાવી રહી છે. ત્યારે જુનાઢ લોકસભા મતવિસ્તારમાં આવતા ગીરના 16થી વધુ ગામના લોકોએ ઈકોઝોનની અમલવારીના વિરોધમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2024 | 9:42 PM

લોકસભાની ચૂંટણીનો એકદમ માહોલ જામી ચૂક્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. આવા સમયે જુનાગઢ લોકસભામાં આવતા ગીર વિસ્તારના 16 કરતાં વધુ ગામના લોકોએ ઈકોઝોનની અમલવારીને લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આગામી થોડા જ દિવસોમાં જો ઈકોઝોનને લઈને કોઈ નિર્ણય નહીં આવે તે લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

ઈકોઝોનને કારણે એક દશકાથી ખેડૂતોને વેઠવી પડે છે હાલાકી

ઉલ્લેખનિય છે કે. ઈકોઝોનની અમલવારીને લઈને છેલ્લા એક દશકાથી ગીર જંગલ વિસ્તારના ખેડૂતોને ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. ખેતરમાં કોઈ બાંધકામથી લઈને વિજ લાઈન નાખવા સુધી વનવિભાગની મંજૂરી લેવી પડે છે અને ક્યારેક તે પણ ન મળતી હોવાનો આક્ષેપ કર્યો છે.

ધારાસભ્યો અને સાંસદો આપે છે માત્ર ઠાલા આશ્વાસનો

ઈકોઝોન વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક કે રહેણાંક ગતિ વિધિ પણ ન થઈ શકે તેવી કડક જોગવાઈઓ છે. આ સમસ્યા કોઈ આજકાલની નથી છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે. અગાઉ ખેડૂતોએ અનેક વખત આંદોલન કર્યા, વિરોધ કર્યા પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે દર વર્ષે ચૂંટણી ટાણે આ જ પ્રશ્ન ઉછળતો હોય છે. ધારાસભ્ય અને સાંસદો પણ ખાલી આશ્વાસન જ આપતા હોવાનો આક્ષેપ છે. ત્યારે આ વખતે ગીર વિસ્તારના અસરગ્રસ્ત 16 કરતાં વધુ ગામના લોકો નિર્ણયમાં ફેરફારની માગ કરી રહ્યા છે અને જો માગ ન સ્વીકારાય તો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉઠાવી છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

આ પણ વાંચો: કચ્છની ખારેક અને ગીરની કેસર કેરી બાદ હવે ભરૂચની પ્રખ્યાત સુજાની વણાટને પ્રાપ્ત થયો GI ટેગ- જુઓ Photos

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">