Mehsana : કોંગ્રેસમા મોટું ભંગાણ, કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં જોડાશે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિ અને ભાજપના મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે મહેસાણા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા ભાજપમાં જોડાશે
મહેસાણા(Mehsana) જિલ્લા કોંગ્રેસમાં(Congress) ભંગાણ સર્જાયું છે.જિલ્લા કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં (BJP) જોડાશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિ અને ભાજપના મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે મહેસાણા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા ભાજપમાં જોડાશે.. પક્ષમાં અવગણના અને અસંતોષ પરાકાષ્ઠાએ પહોંચતા તેઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.. તેઓ નારાજ થતાં કોંગ્રેસના મોવડી મંડળે મનાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી પૂર્વે મહેસાણા કોંગ્રેસમાં ભડકો થયો છે. તેમજ તેમની સાથે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાય તેની અટકળો તેજ બની છે. જેમાં મહેસાણા કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં જઇ રહ્યા છે તે તમામ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારના ગ્રૂપ હોવાનું મનાય છે.એટલે જ જયરાજસિંહે એક ટ્વીટ દ્વારા પક્ષ પ્રત્યે નારાજગીના સંકેતો આપ્યા છે..અને બહુચરાજી એ માત્ર શરુઆત હોવાનું જણાવ્યું છે..શક્યતા એ છે કે આવતીકાલે વધુ કેટલાંક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના છે..અને શનિવાર સુધીમાં કોઇ દિગ્ગજ નેતા ભાજપમાં ભળશે તેવી શક્યતાઓ છે.જયરાજસિંહનું આ ટ્વીટ એ જ દિશામાં સંકેત આપી રહ્યું છે.
આ પણ વાંચો : Valsad : ખાનગી શાળામાં વક્તૃત્વ સ્પર્ધાના નથુરામ ગોડસે વિષયથી વિવાદ, લોકોમાં રોષ
આ પણ વાંચો : Rajkot : ક્રાઇમ બ્રાંચ પર જામનગરના સ્કૂલ સંચાલકે લગાવ્યો આ ગંભીર આરોપ