Gujarat હાઇકોર્ટનું મહત્વનું અવલોકન, એસિડ એટેકના દોષિતને રાહત આપવી અયોગ્ય
ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે એસિડ એટેકના દોષિતને રાહત આપવી યોગ્ય નથી. હાઇકોર્ટે કહ્યું કે પ્રેમમાં ના પડે તો દીકરી પર એસિડ ફેંકવાની હિંમત કરનારાને રાહત આપવી અયોગ્ય છે.
એસિડ એટેક મુદ્દે ગુજરાત(Gujarat ) હાઇકોર્ટનું મહત્વનું અવલોકન કર્યું છે. જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે એસિડ એટેક(Acid Attack ) ના દોષિતને રાહત આપવી યોગ્ય નથી. હાઇકોર્ટે કહ્યું કે પ્રેમમાં ના પડે તો દીકરી પર એસિડ ફેંકવાની હિંમત કરનારાને રાહત આપવી અયોગ્ય છે. હાઇકોર્ટે કહ્યું કે સમાજમાં આપણી દીકરીઓનું ઘણી બધી રીતે શોષણ થતું આવ્યું છે. તેમજ વ્યક્તિને સજા થયા બાદ જામીનમાં હાલ રાહત આપવી અયોગ્ય છે. આપણે સમાજમાં દીકરીઓને સુરક્ષિત જોવા માંગીએ છીએ, ડર કે પીડામાં જીવતી નહીં. તેમજ હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ છે અને સજાના 50% સમય જેલમાં રહ્યો છે તે આધાર પર એસિડ એટેકના દોષિતને જામીન પર જેલ મુક્ત કરવો યોગ્ય નહીં
આ પણ વાંચો : Kargil vijay Divas Photo: કારગિલ યુદ્ધના 22 વર્ષ પૂર્ણ, જાણો યુદ્ધની આ 8 વાતો
આ પણ વાંચો : Health Tips: ઉચ્ચ પોષક મૂલ્યોથી ભરપૂર શેતુર છે આરોગ્ય માટે શ્રેષ્ઠ