મેટ્રોની મંથર ગતિની કામગીરીથી વેપારીઓમાં ભારે રોષ, 19 મહિનાથી દુકાનો બંધ રહેતા વેપારીઓને મોટો આર્થિક ફટકો- VIDEO

સુરતમાં છેલ્લા બે વર્ષથી મેટ્રોની મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે. છેલ્લા 196 મહિનાથી મેટ્રો રૂટની આસપાસ આવતી દુકાનોના વેપારીઓના ધંધા રોજગાર બંધ થયા છે. જેના કારણે તેમને મોટુ આર્થિક નુકસાન સહન કરવુ પડે છે. હાલ આ ધીમી ગતિની કામગારી સામે વેપારીઓએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યુ છે.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 03, 2024 | 8:05 PM

સુરતમાં હાલ છેલ્લા 2 વર્ષથી મેટ્રોની કામગીરી થઇ રહી છે. મેટ્રો જ્યારે બનશે ત્યારે બનશે પરંતુ હાલ તો આ મેટ્રોની કામગીરીએ વેપારીઓને આર્થિક રીતે રોવડાવી મુક્યાં છે. એક બે નહીં પરંતુ છેલ્લા 19 મહિના થઇ ગયા. સુરતના ભાગળમાં મેટ્રોની કામગીરીના કારણે દુકાનોની આગળ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા. જેના કારણે અનેક વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે.

અત્યાર સુધી વેપારીઓને થોડું વળતર મળતું હતું. જો કે હવે તો વળતર પણ બંધ થઇ ગયું છે. જેના કારણે દિવાળીના તહેવાર પહેલા જ વેપારીઓને આર્થિક ફટકો પડી શકે છે. પહેલા વળતર આપવામાં આવ્યું હતું હવે વળતર પણ અપાતું નથી અને રોજગાર બંધ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે. કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નોનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે વેપારીઓ ખુબ જ પરેશાન થઇ રહ્યા છે. હવે વેપારીઓની માંગ છે કે તેઓને વળતર આપવામાં આવે.

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી શરૂ થઈ ત્યારથી જ સુરતીઓ માટે એક બાદ એક આફત ઉભી થઈ રહી છે. મેટ્રોની કામગીરી ચાલે છે તેમાં એક પછી એક અકસ્માત થઈ રહ્યાં છે અને તેના કારણે મેટ્રોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આ ઉપરાંત મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી વેપારીઓ હવે અકળાઈ રહ્યાં છે.

જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો
ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા

સુરતના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોનો વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા છે. હવે જો વેપારીઓને વળતર નહીં મળે તો દિવાળી પહેલા વેપારીઓની સ્થિતિ ખરાબ થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
"ગેરંટી પિરિયડ પહેલા તૂટેલા રસ્તાઓ જે તે એજન્સી જ રિપેર કરશે"
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
g clip-path="url(#clip0_868_265)">