Gujarat : ધાર્મિક મહોત્સવમાં ભૂલાયા કોરોનાનાં નિયમો, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપે તેવા દ્રશ્યો, જુઓ વીડિયો
રાજ્યમાં આ વખતે કોરોના નિયમોને ધ્યાનમાં રાખીને અનેક ધાર્મિક કાર્યક્રમો અને મહોત્સવોને કોરોના નિયમોનું (Corona Guideline) પાલન કરીને શરતી મંજુરી આપવામાં આવી હતી. છતા, અનેક ધાર્મિક મહોત્સવમાં લોકો કોરોના નિયમોને ભુલીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
રાજ્યમાં અષાઢી બીજના દિવસે અનેક ધાર્મિક સ્થળોએ (religious places) મહોત્સવ ઉજવવામાં આવતા હોય છે. જેમાં શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે કોરોના નિયમોને (Corona Guideline) ધ્યાનમાં રાખીને શરતી મંજુરી આપવામાં આવી હતી. પરંતુ, અનેક સ્થળોએ ધાર્મિક ઉજવણીમાં કોરોના નિયમો ભુલાયા હતા.
રાજ્યમાં રાજકોટ,અમદાવાદ અને વિરમગામમાં કોરોનાની ત્રીજી લહેરને(Third Wave) આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટમાં સતરંજ ધામમાં અષાઢી બીજના દિવસે થયેલી ઉજવણીમાં લોકોએ નિયમો નેવે મુકવામાં આવ્યા હતા. ઉપરાંત, તંત્રની હાજરીમાં કોરોના નિયમોના ધજાગરા ઉડતા તંંત્રની કામગિરી પર હાલ સવાલ ઉઠ્યા છે.
બીજી તરફ ,અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરમાં(Lord jagannath) પણ ભક્તોની ભારો ભીડ જોવા મળી હતી.ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભક્તો કોરોના નિયમોને નેવે મુકતા જોવા મળ્યા હતા.
ઉપરાંત, વિરમગામના વડગાસ ગામે પણ ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાને(Corona) ભુલવામાં આવ્યો, ધાર્મિક ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન વગર જોવા મળ્યા.