AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરસોમનાથ બન્યુ કૃષ્ણમય, પ્રાચીતીર્થમાં આહિરોના આત્મકલ્યાણ માટે શ્રી કૃષ્ણ અને યદુકુળના યોદ્ધાઓનું કરાયુ તર્પણ

ગીરસોમનાથ કૃષ્ણમય બન્યુ છે. પ્રાચીન તીર્થમાં તર્પણ કરવામાં આવ્યુ છે. શ્રીકૃષ્ણ અને યદુકૂના યોદ્ધાઓનુ તર્પણ કરવામાં આવ્યુ. જેમા મોક્ષ ગતિ માટે દીવડા પ્રગટાવવામાં આવ્યા. આ ઉપરાંત 23 અને 24 ડિસેમ્બરે દ્વારકામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. હજારો આહિર બહેનો મહારાસ રમશે. જેના માટ 37 હજારથી વધુ બહેનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 7:45 PM
Share

ગીર સોમનાથ ચારેય કોરથી કૃષ્ણમય બન્યું કારણ કે, આહિર સમાજના લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ સહિત આહિરોના આત્મ કલ્યાણ માટે પ્રાચી તીર્થમાં મોક્ષ પીપળાએ તર્પણ કર્યું. પ્રાચીન પ્રાચી તીર્થ હાલના ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકા આવેલુ છે. આટલું જ નહીં આગામી 23 અને 24 ડિસેમ્બરે દ્વારકાના આંગણે હજારો આહિર બહેનોએ રાસ રમવાનું પણ આયોજન કર્યું છે.

આ રાસ થકી દ્વારકામાં 5 હજાર વર્ષ જૂનો ઇતિહાસ ફરી જીવંત થશે. પૌરાણિક માન્યતા અનુસાર દ્વારકાના આંગણે 16 હજાર ગોપીઓ રાસ રમ્યા હતા. ત્યારે યદુવંશી આહિર સમાજના 37 હજારથી વધુ બહેનોનું રાસ માટે રજિસ્ટ્રેશન થયું છે. જેમાં સમગ્ર રાજ્યભરમાંથી આહિર સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં શ્રી કૃષ્ણના ચરણોમાં રાસ રમશે. જેને લઇ તડામાર તૈયારીઓ કરાઇ છે.

પ્રભાસ તીર્થને હરિ અને હરની ભૂમિ મનાય છે. જ્યાં ચંદ્રએ તપસ્યા કરીને ભગવાન સોમનાથની સ્થાપના કરી તો દ્વારકાધીશે પણ પોતાની માનવ લીલાને વિરામ આપવા માટે પ્રભાસ તીર્થનો ત્રિવેણી સંગમ પસંદ કર્યો હતો. શ્રી કૃષ્ણ અને ભાઇ બલરામ સહિત યદુકુળ યૌદ્ધાઓએ પ્રભાસ તીર્થમાં માનવ લીલાને વિરામ આપ્યો હતો. જેને લઇ રાજ્યભરમાંથી આહિર બહેનોએ તમામ યદુવંશી યોદ્ધાઓને મહારાસ પૂર્વે મોક્ષ-ગતિ અને શ્રદ્ધાથી યાદગીરી રૂપે પ્રાચી તીર્થમાં દીવડા પ્રગટાવ્યા. તેમજ મોક્ષ પીપળાએ પાણી પીવડાવી મંત્ર ધૂન સાથે તર્પણ કર્યું. ત્યારે સમગ્ર માહોલ કૃષ્ણમય બન્યો હતો.

આ પણ વાંચો :  કષ્ટભંજન દાદાને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનો અનોખો લ્હાવો, ભક્તોએ અનુભવી ધન્યતા

માન્યતા એવી છે, કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં અવતરિત થયા હતા. ત્યારે 16 હજાર બહેનોનો મહારાસ યોજાયો હતો. ત્યારે ફરી એક વાર આહિર સમાજ દ્વારા પોતાના પૌરાણિક ઇષ્ટદેવના ચરણોમાં ડિસેમ્બરમાં ફરી રાસ રમાશે અને તે પહેલા પ્રાચી તીર્થ એટલે સૂત્રાપાડા ખાતે મોક્ષ પીપળાએ તર્પણ કરાયું.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">