મહેસાણામાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ, નીતિન પટેલે કહ્યું- આજકાલના આવેલા લોકો તમે અમને શિખવાડશો ?
નીતિન પટેલનો ઇશારો કોની તરફ હતો તેને લઇને રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે. ચૂંટણીના વાતાવરણમાં નીતિન પટેલના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. સવાલ મોટો એ છે કે નીતિન પટેલ કોને ટકોર કરી રહ્યા છે. કોણ એ નેતા છે જેને નીતિન પટેલ જાહેર મંચથી સલાહ આપવા માંગે છે.
મહેસાણાના કડીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કડીમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢ્યો છે. નીતિન પટેલ કહ્યું કે, આજકાલના આવેલા લોકો તમે અમને શિખવાડશો ? કડી વિશે હું સૌથી વધુ જાણું છું, ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે.
નીતિન પટેલનો ઇશારો કોની તરફ હતો તેને લઇને રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે. ચૂંટણીના વાતાવરણમાં નીતિન પટેલના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. સવાલ મોટો એ છે કે નીતિન પટેલ કોને ટકોર કરી રહ્યા છે. કોણ એ નેતા છે જેને નીતિન પટેલ જાહેર મંચથી સલાહ આપવા માંગે છે.
Latest Videos
Latest News