ભાવનગરની રથયાત્રામાં ટેબ્લોને લઈને વિવાદ, પોલીસે બેનર ઉતારવાની પાડી ફરજ, શક્તિસિંહે ઘટનાને ચોરી પર સિનાજોરી- Video

ભાવનગરમાં અષાઢી બીજના દિવસે નીકળેલી 39મી રથયાત્રામાં એક ટ્રકમાં રાજકોટ અગ્નિકાંડના બેનર લગાવેલા હતા. જો કે પોલીસે આ બેનર ઉતારી લેવાની ફરજ પાડી હતી. આ બાબતે થોડી રકઝક પણ થઈ હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે સમગ્ર ઘટનાને સરકારની ચોરી પર સિનાજોરી ગણાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2024 | 7:23 PM

ભાવનગરમાં અષાઢી બીજના દિવસે નીકળેલી રથયાત્રામાં થયો હોવાનું સામે આવ્યુ. રથયાત્રામાં ટ્રક નંબર 44માં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના બેનર લગાવેલા હતા. જેમા ‘ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં હોમાયુ’ વગેરે સુત્રો લખેલા હતા.

પોલીસની ટેબ્લો પર નજર પડતા તેમણે ટ્રક ચાલકને અટકાવી આ ટ્રક રથયાત્રામાંથી બહાર કાઢી લેવા અથવા તો અગ્નિકાંડના તમામ પોસ્ટર હટાવી લેવાની ફરજ પાડી હતી. જેને લઈને થોડી રકઝક પણ થઈ હતી. આ સમગ્ર મામલે ટ્રક ચાલકનું કહેવુ છે કે રથયાત્રાના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાને જાણ કરી બેનર લગાવ્યા હતા. છતા પોલીસ દ્વારા બેનર ઉતારવાની ફરજ પડાઈ હતી.

આ સમગ્ર ઘટના પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે ટેબ્લો બિનરાજકીય મિત્રોએ બનાવેલો હતો. આ અગાઉ પણ ભૂતકાળમાં સરકારની પ્રશંસા કરતા ટેબ્લો બનાવ્યા હતા અને તેના માટે તેમને ઈનામ પણ જીત્યા હતા. આ વખતે અગ્નિકાંડનો ટેબ્લો ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે જાગૃતતા લાવવા માટે બનાવ્યો હતો. પરંતુ પોલીસે ધમકાવીને બોર્ડ બેનર ઉતારાવી લીધા તે દુ:ખદ છે. શક્તિસિંહે પ્રહાર કર્યો કે સરકારની ચોરી પર સિનાજોરી છે. સરકારનું પાપ હતુ તેથી આ ઘટના બની છે. જે અધિકારીઓ સામેલ હોય તેમની સામે સરકારે કડક પગલા લેવા જોઈએ. જો સરકારના પેટમાં પાપ ન હોય તો જવાબદારોને સજા થવી જોઈએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
g clip-path="url(#clip0_868_265)">