Amreli: ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવા મામલે વેપારીઓએ બંધ પાળી નોંધાવ્યો વિરોધ, ધારાસભ્યે પણ દર્શાવી નારાજગી- જુઓ વીડિયો

અમરેલી જિલ્લાના ખાંભાના જંગલ વિસ્તારમાં આવેલા હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના વન વિભાગના નિર્ણય સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. 14 જૂલાઈએ સાધુ સંતોને બહાર કાઢી લોક મારવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે વનવિભાગના આ નિર્ણય સામે ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે અને આ નિર્ણયને પરત લેવાની માગ ઉઠી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2024 | 6:03 PM

 

એક તરફ આસ્થા છે તો બીજી તરફ નિયમો છે. આવુ જ કંઈક ખાંભાના હનુમાનગાળા મંદિરને લઈને સામે આવ્યુ છે. જંગલ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં રાત્રિના સમયે પ્રવેશતા વનવિભાગ રોકતુ હોવાના અને હેરાનગતિ કરતુ હોવાના ખાંભાના લોકોએ આક્ષેપ કર્યા છે. વનવિભાગ દ્વારા હનુમાનગાળા મંદિરમાં રહેતા સાધુઓને મંદિર ખાલી કરવાનું કહેવામાં આવ્યુ છે અને 14 જૂલાઈએ મંદિરને લોક મારવાનો નિર્ણય લેવાયો છે. જેની સામે સ્થાનિકોમાં ભારે નારાજગી છે. આસ્થાના કેન્દ્ર સમા આ મંદિર દ્વારા વનવિભાગને કોઈપણ પ્રકારની ક્યારેય અડચણરૂપ કામગીરી થતી ન હોવાનુ જણાવાયુ છે.વેપારીઓએ વનવિભાગના આ નિર્ણનો બંધ પાળી વિરોધ કર્યો છે.

પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા સહિતનાએ વનવિભાગની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો છે અને સરકારનું ધ્યાન દોરી તેમા હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. અંબરીશ ડેરે જણાવ્યુ છે કે જ્યા હનુમાનગાળા એ અહીંના લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને તેનાથી કોઈ જ અડચણ લોકલ લોકો દ્વારા થતી નથી. ત્યારે રાજ્ય સરકાર સામે તેમણે માગ કરી છે કે હનુમાનગાળામાં ભાવિકોની અવરજવર પર લગાવાયેલી રોક હટાવવામાં આવે.

આ સમગ્ર મામલે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યુ કે તેમણે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા સાથે આ મુદ્દે ચર્ચા કરી છે અને તેમણે વનવિભાગને સૂચના આપી છે કે કોઈ મંદિર કે આશ્રમ ખઆલી નહીં કરાવે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">