ગાંધીનગર : રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ, રાજ્યસભામાં હવે ગુજરાત કોંગ્રેસના માત્ર 1 જ સાંસદ
ભાજપના 4 સાસંદો બિનહરીફ થતાં રાજ્યસભામાં ગુજરાતના 11 સાંસદોમાંથી 10 સાંસદ ભાજપના જ હશે. તો કોંગ્રેસમાંથી માત્ર એક જ સાંસદ હશે. ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. તો સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. તેથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. જેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ભાજપના જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જશવંત સિંહ પરમાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ત્યારે રાજ્યસભામાં ભાજપના વધુ ચાર ઉમેદવાર સાંસદ બનશે. તો આ સાથે રાજ્યસભામાં ગુજરાત ભાજપનું પ્રતિનિધિત્વ વધશે.
ભાજપના 4 સાસંદો બિનહરીફ થતાં રાજ્યસભામાં ગુજરાતના 11 સાંસદોમાંથી 10 સાંસદ ભાજપના જ હશે. તો કોંગ્રેસમાંથી માત્ર એક જ સાંસદ હશે. ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. તો સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. તેથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
Latest Videos
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
