AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Rathyatra 2024 : મંદિરમાં બનાવાયો ચોખ્ખા ઘીના ખીચડાનો પ્રસાદ, અંદાજે 1 લાખ ભક્તો લેશે પ્રસાદનો લાભ

Ahmedabad Rathyatra 2024 : મંદિરમાં બનાવાયો ચોખ્ખા ઘીના ખીચડાનો પ્રસાદ, અંદાજે 1 લાખ ભક્તો લેશે પ્રસાદનો લાભ

Jignesh Patel
| Edited By: | Updated on: Jul 07, 2024 | 7:21 AM
Share

ભગવાનને આજે ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવશે. 1 લાખથી વધારે ભક્તો માટે આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. સ્વયંસેવકમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આ પ્રસાદ ખાવાથી ભગવાનની આંખો સાજી થઈ જાય છે.

Ahmedabad : જગતના નાથની આજે રથયાત્રા છે. તે નગરચર્યામાં આજે નીકળ્યા છે. ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. રથયાત્રા ઔપચારિક રીતે મંગળા આરતીથી શરૂ થાય છે.

ભગવાનને જ્યારે આંખો આવી હોય છે ત્યારે તેની આંખો સારી થઈ જાય એટલે કે સાજી થઈ જાય તે હેતુસર ખીચડાનો પ્રસાદ વર્ષોથી ધરાવવામાં આવે છે. હજારો કિલોવસ્તુઓનો ઉપયોગ કરીને ચોખા, ડ્રાયફ્રુટ, ગવારફળીનું શાક વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને ચોખ્ખા ઘીનો આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. 1 લાખથી વધારે ભક્તો માટે આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. સ્વયંસેવકમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

પ્રસાદ ખાવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભે છે

આ પ્રસાદ ખાવાથી ભગવાનની આંખો સાજી થઈ જાય છે. તેથી ભક્તો પણ આ પ્રસાદ ખાવા માટે હરખઘેલા બને છે. એટલા માટે જ આ પ્રસાદ મેળવવા માટે ભક્તો લાંબી લાઈનોમાં કલાકોના કલાકો સુધી ઉભા રહીને રાહ જોતા હોય છે.

સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા

પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રખવામાં આવી રહી છે. 1400થી વધુ CCTVથી સુરક્ષાની ચકાસણી કરાશે. બોડીવોર્ન કેમેરાથી રથયાત્રાનું સતત લાઈવ મોનિટરિંગ કરાશે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી તમામ ગતિવિધિ પર નજર રખાશે. રથયાત્રાનું ચાર જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ કરાશે.

g clip-path="url(#clip0_868_265)">