રાજકોટના પગલે સફાળુ જાગ્યું અમદાવાદનું તંત્ર, 3 ગેમ ઝોન સીલ કરાયા, જાણો ક્યાં કયાં

તંત્ર અને સરકાર દ્વારા કાગળ ઉપર સુરક્ષીત કહેવાય તેવા નિયમોને ટાંકવામાં આવે છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ કોણ કરાવે, કાગળ પરના નિયમોનુ પાલન કરાવવાની જવાબદારી કોની વગેરે જેવા અણિયારા પ્રશ્ને એક બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે. અને આખરે દર વખતે થાય છે તેમ બધુ ભૂલાઈ જાય અને ફરી જ્યારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે સરકાર અને તંત્ર, પેલા કાગળ પર લખેલા નિયમો અને કાયદાને લઈને સફાળુ જાગી ઉઠે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2024 | 1:33 PM

રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગ અને તેમાં બળીને ખાખ થયેલા 28 નાગરિકો બાદ, રાજ્ય સરકાર અને વિવિધ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. ગુજરાત સરકારે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. જેમને પ્રાથમિક રિપોર્ટ 72 કલાકમાં સુપરત કરવાનો આદેશ આપ્યો છે. એક પછી એક ભયાનક દુર્ઘટના ઘટવા છતા, તેમાથી બોધપાઠ લઈને કોઈ કાયમી ઉપાય શોધવાને બદલે તંત્ર અને સરકાર દ્વારા થાગડથિગડ કરવામાં આવે છે. આવા જ એક થાગડથિગડના ભાગરૂપે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતા અનેક ગેમ ઝોન પૈકી ત્રણ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા છે.

તંત્ર અને સરકાર દ્વારા કાગળ ઉપર સુરક્ષીત કહેવાય તેવા નિયમોને ટાંકવામાં આવે છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ કોણ કરાવે, કાગળ પરના નિયમોનુ પાલન કરાવવાની જવાબદારી કોની વગેરે જેવા અણિયારા પ્રશ્ને એક બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે. અને આખરે દર વખતે થાય છે તેમ બધુ ભૂલાઈ જાય અને ફરી જ્યારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે સરકાર અને તંત્ર, પેલા કાગળ પર લખેલા નિયમો અને કાયદાને લઈને સફાળુ જાગી ઉઠે છે.

રાજકોટમાં બનેલા ભયાનક આગના કિસ્સામાં 28 માનવ જીંદગી હોમાઈ ગયા બાદ, રાજ્યભરના ગેમ ઝોનની કાયદેસરતા ચકાસવામાં તંત્ર કામે લાગ્યું છે. કાગળ પરના નિયમોનો અમલ ના હોય તેવા ગેમ ઝોનને બંધ કરાવવાનો દેખાડો તંત્ર કરી રહ્યું છે, સમય જતા સમગ્ર મામલો થાળે પડી જશે, તેમ લોકોનું માનવું છે.

અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા, ગોતા, ચાંદલોડિયા અને નિકોલમાં આવેલ ગેમ ઝોનને સીલ કરી દેવાયા છે. જો કે મહાનગરપાલિકા દ્વારા ગેમ ઝોન- વેકેશન મેળા, ફન ફેર વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ચકાસણીમાં કાગળ પરના નિયમોમાં સહેજ પણ કચાશ જણાશે તો તેને સીલ કરી દેવાની કામગીરી આદરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલ ગેમ ઝોન પાસે જરૂરી લાયસન્સ ના હોવાના કારણે સીલ કરી દેવાયા છે. જો કે આજે 27મી મેની રાત્રી સુધીમાં સીલ કરાયેલા ગેમ ઝોનનો આંકડો વધે તેવી સંભાવના છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">