એવું તો શું છે કુંભના શાહી સ્નાનમાં કે જેને લઈને અહીં આવતા સાધુઓ કત્લેઆમ કરવામાં પણ નથી ખચકાતા

પ્રયાગરાજમાં કાલથી એટલે કે 14 જાન્યુઆરીથી કુંમમેળાની શરૂઆત થઈ રહી છે. આ દિવસે પહેલું શાહી સ્નાન પણ થશે. આ સ્નાનનું ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે તે સીધા સ્વર્ગના દરવાજા ખોલી દે છે.  અખાડાઓના સાધુ કેમ પોતાની સાથે ત્રિશૂળ, ખંજર અને તલવાર લઈને કુંભમેળામાં આવે છે.  નક્કી કરેલા સમય પર અખાડાના સાધુ-સંતો સંગમ પર શાહી […]

એવું તો શું છે કુંભના શાહી સ્નાનમાં કે જેને લઈને અહીં આવતા સાધુઓ કત્લેઆમ કરવામાં પણ નથી ખચકાતા
Follow Us:
| Updated on: Jan 13, 2019 | 7:57 AM

પ્રયાગરાજમાં કાલથી એટલે કે 14 જાન્યુઆરીથી કુંમમેળાની શરૂઆત થઈ રહી છે. આ દિવસે પહેલું શાહી સ્નાન પણ થશે. આ સ્નાનનું ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે તે સીધા સ્વર્ગના દરવાજા ખોલી દે છે. 

અખાડાઓના સાધુ કેમ પોતાની સાથે ત્રિશૂળ, ખંજર અને તલવાર લઈને કુંભમેળામાં આવે છે. 

નક્કી કરેલા સમય પર અખાડાના સાધુ-સંતો સંગમ પર શાહી સ્નાન કરશે. આ સ્નાન શાંતિથી પૂર્ણ થાય તે માટે અખાડાઓનો ક્રમ અને સ્નાન માટે જગ્યા નક્કી કરી લેવામાં આવે છે. નહીં તો શાહી સ્નાનને લઈને સાધુઓમાં ખૂન-ખરાબો થાય તે સામાન્ય છે. પણ આખરે, આ શાહી સ્નાન અને વૈરાગ્ય લઈ ચૂકેલા સાધુઓ વચ્ચે શું છે આ ગાઢ સંબંધ, આવો જાણીએ.

શાહી સ્નાનની શરૂઆત

સદીઓથી આ સ્નાન ચાલતું આવે છે જેમાં 13 અખાડાઓ ભાગ લે છે. આ કોઈ વૈદિક પરંપરા નથી. માનવામાં આવે છે કે તેની શરૂઆત 14મીથી 16મી સદીની વચ્ચે થઈ હતી. ત્યારે દેશમાં મુઘલ શાસકોના આક્રમણની શરૂઆત થઈ ગઈ હતી. ધર્મ અને પરંપરાને મુઘલ આક્રાંતાઓથી બચાવવા માટે હિંદૂ શાસકોએ અખાડાના સાધુઓ અને ખાસ કરીને નાગા સાધુઓથી મદદ લીધી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નાગા સાધુઓ ધીરે ધીરે આક્રમક થવા લાગ્યા અને ધર્મને રાષ્ટ્રની ઉપર જોવા લાગ્યા. એવામાં શાસકોએ નાગા સાધુઓના પ્રતિનિધિ મંડળની સાથે બેઠક કરીને રાષ્ટ્ર અને ધર્મના ઝંડા તેમજ સાધુઓ અને શાસકોના કામના ભાગલા પાડ્યા. સાધુ પોતાને ખાસ અનુભવી શકે તે માટે કુંભ સ્નાનમાં સૌથી પહેલા તેમને લાભ આપવાની વ્યવસ્થા કરવામાં આવી. તેમાં સાધુઓનો વૈભવ રાજાઓ જેવો જ હોય છે, જેના કારણે તેને શાહી સ્નાન કહેવામાં આવ્યું. ત્યારથી જ શાહી સ્નાનની પરંપરા ચાલતી આવી રહી છે.

સમયની સાથે શાહી સ્નાનને લઈને વિવિધ અખાડાઓમાં સંઘર્ષ થવા લાગ્યો. સાધુ તેને પોતાના માન-સન્માન સાથે જોડીને જોવા લાગ્યા. અગાઉ એવો ઉલ્લેખ પણ થયેલો છે કે વર્ષ 1310માં મહાનિર્વાણી આખાડા અને રામાનંદ વૈષ્ણવના અખાડાની વચ્ચે ખૂની સંઘર્ષ થયો. બંને બાજુથી હથિયાર કાઢવામાં આવ્યા અને સમગ્ર નદીએ ખૂની રંગ લઈ લીધો. વર્ષ 1760માં શૈવ અને વૈષ્ણવોની વચ્ચે પણ સ્નાનને લઈને ધમાસાણ મચ્યું હતું. બ્રિટિશ ઈન્ડિયામાં સ્નાન માટે વિવિધ અખાડાઓનો એક ક્રમ નક્કી થયો જે હજી સુધી ચાલ્યો આવે છે.

શું થાય છે શાહી સ્નાનમાં?

તેમાં વિવિધ અખાડાઓથી જોડાયેલા સાધુ-સંતોને સોના-ચાંદીની પાલખીઓ, હાથી-ઘોડા પર બેસીને સ્નાન માટે પહોંચે છે. સૌ પોતપોતાની શક્તિ અને વૈભવનું પ્રદર્શન કરે છે. તેને રાજયોગ સ્નાન પણ કહેવામાં આવે છે જેમાં સાધુ અને તેમના અનુયાયી પવિત્ર નદીમાં નિર્ધારિત સમયે ડુબકી લગાવે છે. માનવામાં આવે છે કે શુભ મુહૂર્તમાં ડુબકી લગાવવાથી અમરતાનું વરદાન મળે છે. આ જ કારણ છે કે સ્નાન કુંભમેળાનો મહત્ત્વનો ભાગ છે અને આ શાહી સ્નાન બાદ જ સામાન્ય લોકોને ડુબકી લગાવવાની પરવાનગી હોય છે.

આ સ્નાન ચોક્કસ દિવસે સવારે 4 વાગ્યાથી શરૂ થઈ જાય છે. આ પહેલા જ ઘાટ પર અખાડાઓના સાધુ-સંતોની જમાવટ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે જ્યારે સાધુઓ શાહી સ્નાન કરે છે ત્યારે ગાત્રો થિજાવી દે તેવી ઠંડી હોય છે. તેઓ પોતાના હાથોમાં પારંપરિક અસ્ત્ર-શસ્ત્ર સાથે રાખે છે, શરીર પર ભભૂત હોય છે અને સતત નારા લગાવતા રહે છે. મુહૂર્તમાં સાધુઓ ઓછોમાં ઓછા કપડા કે પછી નિર્વસ્ત્ર થઈને જ ડુબકી લગાવે છે. ત્યારબાદ જ સામાન્ય લોકોને ત્યાં ન્હાવાની છૂટ અપાય છે.

કુંભમાં શાહી સ્નાનની તારીખો જાહેર થઈ ચૂકી છે, આ 8 દિવસોમાં થશે શાહી સ્નાન-

આ પણ વાંચો: લોકો ખોવાઈ જાય એ મેળો એટલે ‘કુંભમેળો’ એમ સૌ કોઈ બોલે છે પણ તે કેમ યોજાય છે એના રહસ્ય વિશે તમે જાણો છો?

મકર સંક્રાંતિ- 14 અને 15 જાન્યુઆરી 2019

પૌષ પૂર્ણિમા- 21 જાન્યુઆરી 2019

પૌષ એકાદશી સ્નાન- 31 જાન્યુઆરી 2019

મૌની અમાવસ્યા- 4 ફેબ્રુઆરી 2019

વસંત પંચમી- 10 ફેબ્રુઆરી 2019

માઘી એકાદશી- 16 ફેબ્રુઆરી 2019

માઘી પૂર્ણિમા- 19 ફેબ્રુઆરી 2019

મહાશિવરાત્રિ- 4 માર્ચ 2019

[yop_poll id=585]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">