AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબી: કેરાળામાં ફાયરિંગનો મામલો, ફરાર આરોપીને અજાણ્યા શખ્સોએ માર મારતા મોત

ફાયરિંગ મામલામાં ફરાર આરોપી લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને બે દિવસ પૂર્વે નથુભાઈ ભગાભાઈ ગોલતર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તામાં આંતરીને માર માર્યો હતો. અમદાવાદ ખાતે સારવાર દરમિયાન લાખાભાઈ બાંભવાનું મોત થતા મામલો હત્યામાં પલટાઈ ગયો હતો

| Updated on: Nov 20, 2023 | 1:33 PM
Share

ગત 14 તારીખના રોજ રૈયાભાઈ છગનભાઇ ગોલતર પર ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ગોરાભાઈ બાંભવાએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ મામલામાં ફરાર આરોપી લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને બે દિવસ પૂર્વે નથુભાઈ ભગાભાઈ ગોલતર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તામાં આંતરીને માર માર્યો હતો.

ઇજાગ્રસ્ત લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને પ્રથમ વાંકાનેર બાદમાં મોરબીથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, અમદાવાદ ખાતે સારવાર દરમિયાન લાખાભાઈ બાંભવાનું મોત થતા મામલો હત્યામાં પલટાઈ ગયો હતો. વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 આ પણ વાંચો: મોરબી વાંકાનેરના કેરાળા ગામે નજીવી બાબતે બોલાચાલી થતાં આરોપીએ કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">