Shani Margi 2021: શનિ મહારાજની સીધી ચાલ શરૂ, આ પાંચ રાશિઓને ઘી કેળા

શનિના માર્ગી થવાને કારણે પાંચ રાશિના લોકોનો શુભ સમય શરૂ થશે. અત્યાર સુધી શનિના પ્રકોપથી પરેશાન આ લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે. શનિની સાડાસાતી અને ઢૈયાથી આઝાદી મળશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 1:20 PM

Shani Margi 2021:  નવરાત્રીના પાંચમા દિવસે એટલે કે ન્યાયના દેવતા ષષ્ઠી તિથિએ શનિ ગતિ બદલી રહ્યા છે. આ દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવશે, ત્યારબાદ શનિના માર્ગી થવાને કારણે પાંચ રાશિના લોકોનો શુભ સમય શરૂ થશે. અત્યાર સુધી શનિના પ્રકોપથી પરેશાન આ લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે. શનિની સાડાસાતી અને ઢૈયાથી આઝાદી મળશે. 

ન્યાયના દેવતા શનિદેવની વક્રી ચાલથી પેરશાન લોકો માટે સારા સમાચાર એ છે કે 11 ઓક્ટોબર 2021થી દિવસથી સુધારો આવશે. આ પરિવર્તન બાદ શનિનાં પ્રભાવથી જે જાતકોનાં કામ અટકેલા હશે તેમને મોટી રાહત મળશે. જ્યોતિષ પ્રમાણે ધીમી ચાલ ચાલનારા શનિ મહારાજનાં પરિવર્તનની અસર 12 રાશિ પર પડે છે. કેટલીક રાશિઓ માટે શુભાશુભ અસરો રહેશે તો કેટલાક માટે થોડો મુશ્કેલી ભરેલો સમય પણ રહેશે. જો કે શનિદેવનાં મકર રાશિમાં માર્ગી થવાને લઈને પાંચ રાશિને મોટો ફાયદો થશે.

શનિની ચાલ બદલાવાથી રાશિ પરિવર્તનને મહત્વની ઘટના માનવામાં આવે છે. શનિ મંદ ગતિથી ચાલવા વાળા ગ્રહ છે. તે અઢી વર્ષમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પોતાનું સ્થાન પરિવર્તન કરતા હોય છે. શનિ 23 મે 2021થી મકર રાશિમાં વક્રી ચાલી રહ્યા છે. વક્રી રાશિમાં હોવાને લઈને ઘમી રાશિ પર તે ભારી રહે છે અને તે જ કારણે આવા લોકો ઉલઝનમાં રહેતા હોય છે. હવે 11 ઓક્ટોબર 2021થી 7.48 વાગ્યે શનિ માર્ગી થઈ ચુક્યા છે.

આ રાશિના લોકોને થશે લાભ શનિ દેવનાં માર્ગી થવાને લઈને પાંચ રાશિનાં જાતકોને વિશેષ લાભ થશે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલનાં જણાવ્યા અનુસાર આ પરિવર્તનને લઈ ધન રાશિનાં જાતકોને લાભ થશે, સારો સમય શરૂ થશે, તો મકર અને કુંભ રાશિનાં જાતકોની મુશ્કેલી ઓછી થતી દેખાશે. શનિની ઢૈયા ચાલતી હોવાને કારણે મિથુન અને તુલા રાશિનાં જાતકોને પણ રાહત રહેશે, સાથે જ મેષ અને કન્યા રાશિનાં જાતકો માટે પણ ખુબ સારો સમય રહેશે.

 

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">