રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2022 : ભારતમાં 11 મેના રોજ શા માટે આજનો દિવસ ઉજવવામાં આવે છે??

ભારતમાં દર વર્ષે આજે એટલે કે 11 મેના રોજ 'રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ' (National Technology Day) ઉજવવામાં આવે છે. કારણ કે, આજના દિવસે 1998માં આપણા દેશે પ્રખ્યાત પોખરણ પરમાણુ પરીક્ષણોનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2022 : ભારતમાં 11 મેના રોજ શા માટે આજનો દિવસ ઉજવવામાં આવે છે??
National Technology Day 2022 (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 9:55 AM

આપણે મેળવેલી મહાન આઝાદી (Independence) પછી, ભારતે (India) જે ક્ષેત્રોમાં મોટો વિકાસ અને અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ છે, તેમાંનું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. (Science & Technology) આ ક્ષેત્રની વિવિધ પ્રગતિ સાથે, ભારત આવનારા ભવિષ્યમાં સંભવિત મહાસત્તા છે તેવા દેશોની યાદીમાં આગળના માર્ગે છે. ભારત 11 મેના રોજ એટલે કે આજના દિવસે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની એટલે કે ‘National Technology Day’ની ઉજવણી કરે છે. કારણ કે, આજના દિવસે 1998માં ભારતને પ્રખ્યાત પોખરણ પરમાણુ પરીક્ષણોમાં સફળતા પ્રાપ્ત થઇ હતી.

પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ વિશેનો ઇતિહાસ

વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિમાં ભારતની સફરમાં સૌથી નિર્ધારિત સીમાચિહ્નો પૈકી એક છે, રાજસ્થાનના પોખરણ ક્ષેત્રમાં 1998માં કરવામાં આવેલ સફળ પરમાણુ પરીક્ષણો. ભારતના તત્કાલિન વડા પ્રધાન અટલ વિહારી બાજપાઈએ ભારતને સ્વતંત્ર પરમાણુ શક્તિ બનાવવાના આ મહાન મિશનનું નેતૃત્વ કર્યું હતું. આ અભ્યાસ ‘પોખરણ-2’ તરીકે ઓળખાય છે. 11 મે, 1998ના રોજ સફળ પરમાણુ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા.

આ અભ્યાસ અંતર્ગત, વૈજ્ઞાનિકો, સંશોધકો અને એન્જિનિયરોની એક સમર્પિત ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેણે ભારત માટે રાત દિવસ જોયા વિના કાર્ય કર્યું હતું. આ મિશન ખુબ જ ગુપ્ત હતું, કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટીકા -ટિપ્પણી આકર્ષવા માંગતું ન હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોખરણમાં, આ પરમાણુ પરીક્ષણો ભારતીય સેનાની પોખરણ ટેસ્ટ રેન્જમાં હાથ ઘરવામાં આવ્યા હતા. સફળ પરીક્ષણ કરવા માટે શ્રેણીબદ્ધ 5 એટમ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. જેમાં, ભારતના ‘મિસાઈલ મેન’ તરીકે સુપ્રસિદ્ધ અને તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ પોખરણ પરીક્ષણોના સ્ટાર માર્ગદર્શક હતા.

આ સફળ પરીક્ષણ પૂર્ણ કર્યા પછી, ભારતના તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને પરમાણુ રાજ્ય જાહેર કર્યું હતું. આ મિશનનો કોડ ‘ઓપરેશન શક્તિ’ હતું. વૈશ્વિક સ્તરે ‘પરમાણુ ક્લબ’ના અન્ય 5 વર્તમાન સભ્યોએ તેના પ્રચારનો વિરોધ કર્યો હતો. તેથી આ મિશન એક ખાસ કોડ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાનગી મિશનની સફળતાને ભારતની વૈજ્ઞાનિક સફળતાની સફરમાં ખરેખર એક મોટો સીમાચિહ્ન માનવામાં આવે છે.

આજથી 2 દાયકા પહેલાં, આ મિશન હાથ ધરવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ નહોતું. પોખરણ પરમાણુ પરીક્ષણો દરમિયાન જે સંજોગો હતા, તેની સફળતાએ દેશનું માન સન્માન વિશ્વસ્તરે વધારી દીધુ હતું.

ભવિષ્યમાં, આગામી તકનીકી અને વૈજ્ઞાનિક કામગીરીમાં સમાન સ્તરે અને સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના વિઝન સાથે, ભારત આજે એટલે કે 11 મેના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની ઉજવણી દેશભરમાં કરે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">