AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીજળી બિલની ચિંતા છોડો, હવે ગાયના છાણમાંથી ઘરે જ પેદા થશે વીજળી! જાણો

ગાયના છાણમાંથી બાયોગેસ પ્લાન્ટ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જોકે ઘરનું એસી કે અન્ય ભારે ઉપકરણો ચલાવવા માટે સામાન્ય પ્લાન્ટ કરતાં મોટા અને ખાસ સેટઅપની જરૂર પડે છે.

વીજળી બિલની ચિંતા છોડો, હવે ગાયના છાણમાંથી ઘરે જ પેદા થશે વીજળી! જાણો
Image Credit source: AI
| Updated on: May 25, 2026 | 8:56 PM
Share

આજના સમયમાં મોંઘી વીજળી અને ઉનાળામાં આવતા મસમોટા લાઈટ બિલથી દરેક સામાન્ય માણસ પરેશાન છે. આ સ્થિતિમાં લોકો સોલાર પેનલ જેવા વૈકલ્પિક સ્રોતો તરફ વળી રહ્યા છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આપણા ઘરોમાં કે ગામડામાં સરળતાથી મળી રહેતા ગાયના છાણ માંથી પણ શાનદાર વીજળી પેદા કરી શકાય છે.

બાયોગેસ સિસ્ટમના માધ્યમથી ગાયના છાણમાંથી પાવરફુલ વીજળી બનાવી શકાય છે અને યોગ્ય આયોજન કરવામાં આવે તો તેનાથી એસી જેવા ભારે ઉપકરણો પણ ચલાવી શકાય છે. જોકે, એસી ચલાવવા માટે સામાન્ય રસોઈ ગેસ માટે વપરાતા નાના ગોબર ગેસ પ્લાન્ટના બદલે થોડા મોટા કદના સેટઅપની જરૂર પડે છે. આવો સમજીએ કે છાણમાંથી વીજળી કેવી રીતે બને છે અને એસી ચલાવવા માટે કેવો પ્લાન્ટ જોઈએ:

ગોબરમાંથી વીજળી બનવાની આખી પ્રોસેસ

ગાયનું છાણ સીધેસીધું વીજળી ઉત્પન્ન કરતું નથી. આખી પ્રક્રિયા બાયોગેસ ડાયજેસ્ટર એટલે કે જેને આપણે સામાન્ય ભાષામાં ગોબર ગેસ પ્લાન્ટ કહીએ છીએ તેની અંદર શરૂ થાય છે. સૌથી પહેલાં ગાયના છાણ અને પાણીનું એક સરખું મિશ્રણ કરીને તેને એર ટાઈટ ટેન્કમાં નાખવામાં આવે છે. અહીં ઓક્સિજનની ગેરહાજરીમાં બેક્ટેરિયા આ ઓર્ગેનિક કચરાને તોડે છે, જેના કારણે મિથેન ગેસથી ભરપૂર બાયોગેસ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આ ગેસને બાયોગેસથી ચાલતા ખાસ એન્જિન અથવા જનરેટરમાં મોકલવામાં આવે છે, જે આ ગેસનું વીજળીમાં રૂપાંતર કરે છે.

સામાન્ય ઘરગથ્થુ પ્લાન્ટની ક્ષમતા કેટલી હોય છે?

ગામડાના ઘરોમાં લાગેલા મોટાભાગના નાના બાયોગેસ પ્લાન્ટ મુખ્યત્વે રસોઈ બનાવવાના હેતુથી ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે. આ સિસ્ટમ 2 થી 4 પશુઓના છાણ પર નિર્ભર હોય છે. આટલા છાણમાંથી એટલો ગેસ આરામથી બની જાય છે જેનાથી રસોડાનો ગેસ બર્નર, નાના બલ્બ કે ઓછી વીજળી વાપરતા સાધનો ચાલી શકે. એસી જેવા ભારે ઉપકરણો સતત ચલાવવા માટે આ નાનો પ્લાન્ટ સક્ષમ હોતો નથી.

જો AC ચલાવવું હોય તો કેવડું સેટઅપ જોઈએ?

એક સામાન્ય 1.5 ટનનું ઇન્વર્ટર એસી ચાલતી વખતે આશરે 1.5 થી 2 કિલોવોટ વીજળીનો વપરાશ કરે છે. જ્યારે એસી શરૂ થાય ત્યારે તેને આનાથી પણ વધુ પાવરની જરૂર પડે છે. આટલો ભારે લોડ ઉપાડવા માટે ઓછામાં ઓછી 3 કિલોવોટથી 5 કિલોવોટની ક્ષમતાવાળા બાયોગેસ જનરેટરની જરૂર પડે છે.

અહીં સૌથી મોટો પડકાર કાચા માલનો એટલે કે છાણનો છે. જો તમારે રોજનું 5 થી 6 કલાક સતત એસી ચલાવવું હોય, તો રોજેરોજ અંદાજે 150 થી 200 કિલોગ્રામ તાજા છાણની જરૂર પડી શકે છે. આ જ કારણ છે કે આવું મોટું સેટઅપ સામાન્ય શહેરી ઘરો કરતાં ડેરી ફાર્મ, મોટી ગૌશાળાઓ અથવા વધુ પશુધન ધરાવતા ખેડૂતો માટે અતિશય ફાયદાકારક અને નફાકારક સાબિત થાય છે.

કોમર્શિયલ પ્લાન્ટથી આખું ઘર મફતમાં ચાલશે

જો મોટા પાયે કોમર્શિયલ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવે તો તે માત્ર એસી જ નહીં, પરંતુ આખા ઘરની વીજળીની જરૂરિયાત પૂરી કરી શકે છે. આ મોટા પ્લાન્ટમાંથી એટલી વીજળી પેદા થાય છે જેનાથી ઘરના તમામ સ્માર્ટ ઉપકરણો, પાણી પંપ કરવા માટેની મોટર, ટ્યુબવેલ અને ફાર્મ હાઉસના કનેક્શન પણ ફ્રીમાં ઓપરેટ કરી શકાય છે. પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા લોકો માટે આ ટેકનોલોજી કમાણી વધારવાનો અને લાઈટ બિલ શૂન્ય કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

લોન લીધા વગર ઘર-ગાડી ખરીદવી છે ? બચતનો આ રસ્તો તમને અપાવશે તમારી મનપસંદ વસ્તુ

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">