Wimbledon 2022: રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર લાગ્યો પ્રતિબંધ, ડેનિલ મેદવેદેવ સહિત ઘણા ખેલાડીઓ OUT થયા

અત્યાર સુધી રશિયા અને બેલારુસના ખેલાડીઓને WTA અને ATP દ્વારા ટુર્નામેન્ટમાં રમવા પર પ્રતિબંધ ન હતો અને તેઓ તેમના દેશના ધ્વજ અને નામ વગર રમતા હતા.

Wimbledon 2022: રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર લાગ્યો પ્રતિબંધ, ડેનિલ મેદવેદેવ સહિત ઘણા ખેલાડીઓ OUT થયા
રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર લાગ્યો પ્રતિબંધImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 3:40 PM

Wimbledon 2022: યુક્રેન પર રશિયાના હુમલા (Ukraine Russia War) બાદથી રશિયન ખેલાડીઓ અને ટીમો પર આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલે ટેનિસ જગતમાં પહેલીવાર ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન (Wimbledon)ની આયોજક ઓલ ઈંગ્લેન્ડ ક્લબ દ્વારા લેવામાં આવ્યો છે. અઠવાડિયાની અટકળો બાદ આખરે ઓલ ઈંગ્લેન્ડ ક્લબે આ વર્ષની ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર રશિયન ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

રશિયા સિવાય બેલારુસના ખેલાડીઓને પણ આ વર્ષે એન્ટ્રી નહીં મળે કારણ કે યુક્રેન પરના હુમલામાં બેલારુસે રશિયાને સહકાર આપ્યો હતો. આ પ્રતિબંધ બાદ વિશ્વના બીજા નંબરના ખેલાડી રશિયાના ડેનિલ મેદવેદેવ જેવા દિગ્ગજ ખેલાડી વિમ્બલ્ડન (Daniil Medvedev)માં જોવા નહીં મળે.

લંડનમાં 27 જૂનથી શરૂ થઈ રહેલા વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમમાં આ રશિયન અને બેલારુસ ખેલાડીઓ પર પ્રતિબંધની અટકળો ઘણા દિવસોથી ચાલી રહી હતી. જો કે અત્યાર સુધી WTA, મહિલા ટેનિસ ટૂર્નામેન્ટ સંસ્થા અને પુરુષોની સંસ્થા ATP, તેમની ટુર્નામેન્ટમાં આવા નિયંત્રણો લગાવતા ન હતા અને બંને દેશોના ખેલાડીઓને તેમના દેશના ધ્વજ અને નામ વિના પ્રવેશવાની મંજૂરી આપી હતી. બીજી તરફ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને ડેવિસ કપ અને બિલી જીન કિંગ કપમાં બંને દેશોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રશિયાને વિમ્બલ્ડનનો લાભ નહીં લેવા દઈએ

બુધવાર 20 એપ્રિલના રોજ ઓલ ઈંગ્લેન્ડ ક્લબે એક નિવેદન બહાર પાડીને રશિયન અને બેલારુસિયન ખેલાડીઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓલ ઈંગ્લેન્ડ ક્લબ એન્ડ ચેમ્પિયનશિપ (વિમ્બલ્ડન) મેનેજમેન્ટ, યુક્રેન યુદ્ધથી પ્રભાવિત લોકોની સાથે છે અને સમગ્ર વિશ્વની જેમ તેઓ પણ રશિયન કાર્યવાહીની નિંદા કરે છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિમ્બલ્ડનની પ્રતિષ્ઠાને જોતા તેઓ રશિયાને તેમના ખેલાડીઓ દ્વારા તેનો ફાયદો ઉઠાવવા દેશે નહીં. તેણે વધુમાં કહ્યું, અમે ચેમ્પિયનશિપ 2022 માટે રશિયા અને બેલારુસના ખેલાડીઓની એન્ટ્રી સ્વીકારીશું નહીં.

ઘણા દિગ્ગજો જોવા નહીં મળે

રશિયા-બેલારુસ સામેની આ કાર્યવાહી બાદ આ વખતે ટૂર્નામેન્ટ ઘણા મોટા ખેલાડીઓ વગર યોજાશે. આમાં સૌથી મોટું નામ રશિયાના ટોપ મેન્સ સિંગલ પ્લેયર ડેનિલ મેદવેદેવનું છે. ગયા વર્ષે નોવાક જોકોવિચને હરાવીને યુએસ ઓપનનો ખિતાબ જીતનાર મેદવેદેવ વિશ્વનો નંબર 2 ખેલાડી છે. તેણે થોડા અઠવાડિયા પહેલા નંબર વન રેન્ક પણ હાંસલ કર્યો હતો. તેના સિવાય બે વખતની ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કા પણ રમી શકશે નહીં. રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર પ્રતિબંધ લાગ્યો છે.

આ પણ વાંચો :

અક્ષર પટેલે કુલદીપ યાદવ કરતા સારી બોલિંગ કરી, સિક્સર ફટકારનારને આઉટ કર્યો, છતા શા માટે ના બન્યો પ્લેયર ઓફ ધ મેચ ?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">