બળાત્કારના આરોપનો સામનો કરનાર ખેલાડી લીગમાંથી બહાર, ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો

|

Feb 08, 2024 | 9:34 PM

હોકી ખેલાડી વરુણ કુમાર પર આરોપ લગાવવામાં આવ્યો છે. વરુણ કુમારે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે કાયદાકીય લડાઈ લડવા માટે રજા લીધી છે, પરંતુ વારંવાર આરોપો અંગે સ્પષ્ટતા કરી રહ્યા છે. વરુણ કુમાર રાષ્ટ્રીય ટીમનો ખેલાડી છે અને અર્જુન પુરસ્કાર વિજેતા પણ છે. આ બધા વચ્ચે વરુણ કુમારે લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

બળાત્કારના આરોપનો સામનો કરનાર ખેલાડી લીગમાંથી બહાર, ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો
Varun Kumar

Follow us on

ભારતીય હોકી ટીમના ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા વરુણ કુમાર આ દિવસોમાં મુશ્કેલીમાં છે. વરુણ કુમાર પર તાજેતરમાં પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેને તેણે ખોટો ગણાવ્યો હતો. આ મામલાની વચ્ચે વરુણ કુમારે હવે FIH પ્રો લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેણે આ કાનૂની લડાઈ લડવા માટે કર્યું છે.

યૌન શોષણનો લાગ્યો આરોપ

હોકી ઈન્ડિયાએ 28 વર્ષીય ખેલાડીને તાત્કાલિક રજા આપી દીધી છે કારણ કે ખેલાડીએ કહ્યું હતું કે આ ઘટના તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરી રહી છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે સગીર હતી ત્યારે વરુણે તેનું અનેકવાર યૌન શોષણ કર્યું હતું, ત્યારબાદ બેંગલુરુ પોલીસે હોકી ખેલાડી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

વરુણ કુમારે શું આપી સ્પષ્ટતા?

સોમવારે નોંધાવેલી પોતાની ફરિયાદમાં 22 વર્ષની મહિલાએ કહ્યું છે કે તે 2018માં ઈન્સ્ટાગ્રામ દ્વારા વરુણના સંપર્કમાં આવી હતી અને જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે ખેલાડીએ લગ્નના બહાને તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો. ભારતના પ્રમુખ દિલીપ તિર્કીને પત્ર લખીને તેમણે દાવો કર્યો છે કે તેમની સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદ ખોટી છે અને તે રાજ્ય સરકારના તંત્રનો દુરુપયોગ છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

બેંગલુરુમાં FIR નોંધવામાં આવી

વરુણે લખ્યું છે કે મને મીડિયા રિપોર્ટ્સથી ખબર પડી છે કે ભૂતકાળમાં હું જેની સાથે રિલેશનશિપમાં હતો તેણે મારી વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો છે અને આ મામલામાં બેંગલુરુમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, જો કે કોઈ પોલીસ અધિકારીએ આ કેસની નોંધ લીધી નથી. આ અંગે કોઈ કાર્યવાહ થઈ નથી અને કોઈએ મારો સંપર્ક કર્યો નથી.

મારી છબીને ખરાબ કરવાનો પ્રયાસ: વરુણ કુમાર

તેણે કહ્યું કે આ મામલો બીજું કંઈ નથી પરંતુ મારી પાસેથી પૈસા પડાવવાનો અને મારી પ્રતિષ્ઠા અને છબીને કલંકિત કરવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ છે, કારણ કે હું એક પ્રતિષ્ઠિત હોકી ખેલાડી છું અને ભારત માટે રમું છું અને અર્જુન એવોર્ડી છું. તેઓ જાણે છે કે આવો કિસ્સો મારી કરિયર અને ઈમેજને બગાડી શકે છે.

આ પણ વાંચો: લો બોલો… હવે કેપ્ટનનું સ્થાન પણ ટીમમાં નક્કી નથી, તો અન્ય ખેલાડીઓનું તો શું કહેવું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article