IPL 2021: ટુર્નામેન્ટની 31 બાકી રહેલી મેચોના આયોજનને લઇ આઇપીએલ ચેરમેનનુ મોટુ અપડેટ
આઇપીએલ 2021 ના બાયોબબલ (Bio Bubble) માં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્મણ લાગવાને લઇને આખરે ટુર્નામેન્ટ જ સ્થગીત કરી દેવામાં આવી છે. જોકે હવે આ દરમ્યાન હવે ફરી થી IPL ની ટુર્નામેન્ટ ક્યારે આગળ વધશે તે પણ સવાલ ફેંસને સતાવી રહ્યા છે.
IPL 2021 ના બાયોબબલ (Bio Bubble) માં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્મણ લાગવાને લઇને આખરે ટુર્નામેન્ટ જ સ્થગીત કરી દેવામાં આવી છે. જોકે હવે આ દરમ્યાન હવે ફરી થી IPL ની ટુર્નામેન્ટ ક્યારે આગળ વધશે તે પણ સવાલ ફેંસને સતાવી રહ્યા છે. IPL ની અડધો અડધ મેચ અને ફાઇનલ અને પ્લેઓફ મેચો શિડ્યુલ પ્રમાણે બાકી રહી છે. જે હવે રિશિડ્યુલ કરાવામાં આવશે. આ દરમ્યાન જ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ (IPL Governing Council) ના ચેરમેન બ્રિજેશ પટેલે (Brijesh Patel) નિવેદન આપ્યુ છે કે, સંભવિત ક્યારે બાકીની મેચો રમાઇ શકે છે.
કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેયર્સ એક બાદ એક કોરોના સંક્રમિત જણાયા હતા. આ ઉપરાંત સપોર્ટ સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફ પણ કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવતા જ બીસીસીઆઇએ ગંભીરતા સમજીને આખરે ટુર્નામેન્ટને તત્કાળ રોકી દેવાનો નિર્ણય કર્યો હતો. આ દમ્યાન હવે આઇપીએલ ના ચેરમેન બ્રિજેશ પટેલે અપડેટ આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, અમે બાકી રહેલી 31 મેચોના આયોજનને લઇને સંભાવનાઓ જોઇ રહ્યા છીએ, જે મુજબ T20 વિશ્વકપ ના પહેલા અથવા તેના બાદમાં આયોજીત કરવામાં આવશે.
પટેલે કહ્યુ હતુ કે, અમે 31 મેચોને કમ્પલીટ કરવા માટે પ્રયાસ કરીશુ, આ માટે આ વર્ષમાં જ રમાડવાનુ આયોજન કરવા પ્રયાસ કરવામાં આવશે. આ માટે સમયની સંભવિતતા જોઇ રહ્યા છીએ, જે ટી20 વિશ્વકપ ની આગળ અથવા પાછળનો સમય હોઇ શકે છે. આમ પટેલના નિવેદન પર થી એમ કહી શકાય કે આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન આઇપીએલ નો બાકીનો હિસ્સો આગળ ચાલી શકે છે. જોકે આ બધી જ સંભાવનાઓ કોરોના કાળની પરિસ્થીતીને આધારે હોઇ શકે છે.