AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી, ટ્રિપલ સેન્ચુરી ફટકારી, 13 વર્ષ બાદ ભારતીય ટીમમાં આ ખેલાડીને મળ્યુ સ્થાન!

રોહિત શર્માના બહાર થયા બાદ પસંદગીકર્તાઓએ તે ખેલાડીને ટીમમાં તક આપી છે, જેને 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેના બેટ દ્વારા 3 સદી લાગી ચૂકી છે. વાત થઈ રહી છે કે પ્રિયાંક પંચાલ (Priyank Panchal)ની જે છેલ્લા 13 વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં પોતાનો દમ દેખાડી રહ્યો છે પણ તેમની મહેનતનું ફળ હવે મળ્યું છે.

IND vs SA: 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી, ટ્રિપલ સેન્ચુરી ફટકારી, 13 વર્ષ બાદ ભારતીય ટીમમાં આ ખેલાડીને મળ્યુ સ્થાન!
Priyank Panchal And Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 11:03 PM
Share

સાઉથ આફ્રિકા (SA) પ્રવાસ પર રવાના થયા પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઈજાના કારણે ટેસ્ટ સિરિઝમાંથી બહાર થઈ ગયા છે. મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માના પગમાં માંસપેશીઓ ખેંચાઈ ગઈ, ત્યારબાદ તે ટેસ્ટ સિરિઝથી બહાર થઈ ગયા.

રોહિત શર્માના બહાર થયા બાદ પસંદગીકર્તાઓએ તે ખેલાડીને ટીમમાં તક આપી છે, જેને 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેના બેટ દ્વારા 3 સદી લાગી ચૂકી છે. વાત થઈ રહી છે કે પ્રિયાંક પંચાલ (Priyank Panchal)ની જે છેલ્લા 13 વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં પોતાનો દમ દેખાડી રહ્યો છે પણ તેમની મહેનતનું ફળ હવે મળ્યું છે.

31 વર્ષના પ્રિયાંક પંચાલ ગુજરાત રણજી ટ્રોફી ટીમના કેપ્ટન છે. તાજેતરમાં જ પ્રિયાંકને સાઉથ આફ્રિકા એ પ્રવાસ પર ઈન્ડિયા એ ના કેપ્ટન બનાવી મોકલવામાં આવ્યો, જ્યાં તેમને સારૂ પ્રદર્શન કર્યુ. આ કારણે જ પંચાલને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે.

પંચાલ 3 સદી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો

પ્રિયાંક પંચાલ વર્ષ 2016-17 રણજી સિઝનમાં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેમને 17 ઈનિંગમાં 1,310 રન ફટકાર્યા હતા. પંચાલની બેટિંગના દમ પર ગુજરાતે રણજી ટ્રોફી પણ જીતી હતી. ફાઈનલમાં ગુજરાતે મુંબઈ જેવી મજબૂત ટીમને માત આપી હતી. આ સિઝનમાં પંચાલે પંજાબની વિરૂદ્ધ 3 સદી ફટકારી હતી. પંચાલ 3 સદી ફટકારનારો ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો હતો.

રણજી ટ્રોફીના 2017-18 સિઝનમાં પણ પંચાલ ગુજરાતના ટોપ રન સ્કોરર રહ્યા. આ બેટ્સમેને માત્ર 7 મેચમાં 542 રન ફટકાર્યા અને આગામી સિઝનમાં પંચાલે 898 રન ફટકાર્યા પણ ત્યારબાદ પંચાલ 2019-20 રણજી સિઝનમાં 29ની એવરેજથી 457 રન જ બનાવી શક્યા. પંચાલ લાંબા સમયથી રન બનાવી રહ્યા હતા પણ તેમને ટીમ ઈન્ડિયામાં તક મળી નહતી.

જ્યારે રાહુલ દ્રવિડે હેડ કોચની ખુરશી સંભાળી પંચાલ અચાનક ચર્ચામાં આવી ગયા. પહેલા તેમને ઈન્ડિયા એ ટીમની સાથે સાઉથ આફ્રિકા પ્રવાસ પર મોકલવામાં આવ્યા અને હવે તે ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવી ચૂક્યા છે.

આ પણ વાંચો: Terrorist Attack: PM મોદીએ શ્રીનગરમાં આતંકવાદી હુમલાની માંગી માહિતી, શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

આ પણ વાંચો: અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને રાજનાથ સિંહને કર્યો ફોન, CDS બિપિન રાવત સાથેની તેમની મુલાકાત કરી યાદ

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">