AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્મૃતિ મંધાના ક્વોરન્ટાઇનમાંથી બહાર આવી, અંતિમ ત્રણેય વન-ડે માટે ઉપલબ્ધ રહેશે

સ્મૃતિ સહિત અને બે ખેલાડીઓનો પણ ક્વોરન્ટાઇન સમય પુરો થઇ ગયો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ 18 ફેબ્રુઆરીના રોજ રમાશે.

સ્મૃતિ મંધાના ક્વોરન્ટાઇનમાંથી બહાર આવી, અંતિમ ત્રણેય વન-ડે માટે ઉપલબ્ધ રહેશે
Smriti Mandhana (PC: T9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 7:03 PM
Share

ન્યુઝીલેન્ડ (New Zealand Women Cricket) અને ભારત (Indian Women Cricket) મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે સીરિઝ ચાલી રહી છે. જેમાં યજમાન ન્યુઝીલેન્ડ ટીમે પહેલી બે વન-ડેમાં જીત મેળવીને સારી શરૂઆત કરી છે. ભારતીય ટીમે એક માત્ર ટી20 મેચ અને પહેલી બંને વન-ડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ સાથે ભારતની સ્ટાર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ટીમનો ભાગ બની શકી ન હતી. કારણ કે તેનો ક્વોરન્ટાઇનનો સમય વધુ લાંબો ચાલ્યો હતો. પણ હવે તેનો ક્વોરન્ટાઇનનો સમય પુરો થઇ ગયો છે અને જલ્દી ટીમ સાથે જોડાઇ જશે.

સ્મૃતિ મંધાના અને અન્ય બે ખેલાડીઓને બીજા લોકો કરતા વધુ સમય માટે ક્વોરન્ટાઇન રહેવું પડ્યું હતું. અન્ય બે ખેલાડીઓમાં ફાસ્ટ બોલર મેઘના સિંહ અને રેણુકા સિંહનો સમાવેશ થાય છે. રેણુકા થોડા સમય પહેલા જ ક્વોરન્ટાઇનમાંથી બહાર આવી હતી, જ્યારે મેઘના મંગળવારે જ આઈસોલેશનમાંથી બહાર આવી છે. જોકે બીસીસીઆઈએ આ અંગે કોઇ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. પણ ESPNCricInfo પર જણાવવામાં આવ્યું હતું કે રેણુકા, મેઘના અને સ્મૃતિ મંધાનામાંથી કોઇ એક કોરોના સંક્રમિત થયું હતું. જેને પગલે ત્રણેયને વધુ દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડ્યું હતું.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ન્યુઝીલેન્ડ જતા પહેલા મુંબઈમાં સાત દિવસના સખત ક્વોરન્ટાઇન સમયમાંથી પસાર થવું પડ્યું હતું. તેની સાથે જ ન્યુઝીલેન્ડ પહોંચ્યા બાદ ક્રાઇસ્ટચર્ચમાં તમામ ખેલાડીઓને 10 દિવસ માટે આઈસોલેશનમાં રહેવું પડ્યું હતું. કોરોનાનો પ્રકોપ ઓછો કરવા માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટે ભારતની તમામ મેચ જેમાં એક માત્ર ટી20 અને પાંચ વન-ડે મેચનો સમાવેશ થાય છે તેને ક્વીન્સટાઉનમાં સ્થળાંતક કર્યું હતું.

ભારતીય મહિલા ટીમે ન્યુઝીલેન્ડ સામે સતત બીજી વન-ડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પણ સ્મૃતિ મંધાનાના પરત આવવાથી ટીમ ઘણી મજબુત બનશે. જોકે હાલ ફિટનેસને લઇને તે નક્કી નથી કે સ્મૃતિ અને મેઘના ત્રીજી વન-ડેમાં ટીમનો ભાગ બનશે કે નહીં. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ 18 ફેબ્રુઆરીએ રમાશે.

આ પણ વાંચો : IND VS WI: હાર્દિક પંડ્યાનું ટીમ ઇન્ડિયામાં કેટલુ છે મહત્વ, તેની ભૂમિકા અને T20 વિશ્વકપ ટીમ સિલેક્શન અંગે પણ કહી મોટી વાત

આ પણ વાંચો : Rohit Sharma, IND VS WI 1st T20I: રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને કહ્યુ, IPL નહીં દેશ માટે રમવા પર ફોકસ કરો!

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">