Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: સિરીઝ શરૂ થતા પહેલા ટીમ ઈન્ડિયાનો કોચ ગૌતમ ગંભીર થયો ભાવુક, જુઓ Video

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ગૌતમ ગંભીરને એક ખાસ વોઈસ નોટ મોકલી છે. ગંભીર શ્રીલંકા સામે રમાનારી T20 શ્રેણી માટે મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યો છે. આ મેસેજ સાંભળી ગૌતમ ગંભીરના ચેહરા પર જે હાવભાવ જોવા મળ્યા હતા એ પહેલા કોઈએ ક્યારેય નહીં જોયા હોય.

IND vs SL: સિરીઝ શરૂ થતા પહેલા ટીમ ઈન્ડિયાનો કોચ ગૌતમ ગંભીર થયો ભાવુક, જુઓ Video
Gautam Gambhir
Follow Us:
| Updated on: Jul 29, 2024 | 4:52 PM

ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસની શરૂઆત ત્રણ મેચની T20 શ્રેણીથી થવા જઈ રહી છે. ગૌતમ ગંભીર આ શ્રેણી સાથે મુખ્ય કોચ તરીકે પોતાની ઈનિંગની શરૂઆત કરશે. ગૌતમ ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. ગયા મહિને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યા બાદ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે તેણે ગૌતમ ગંભીરને એક ખાસ સંદેશ આપ્યો છે. તેણે ગંભીરને જે પડકારોનો સામનો કરવો પડી શકે છે તેનો સામનો કરવાની સલાહ આપી છે. આ મેસેજ સાંભળ્યા પછી ગંભીર ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.

ગૌતમ ગંભીર માટે દ્રવિડનો ખાસ સંદેશ

ભારતીય ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે દ્રવિડે વોઈસ નોટ મોકલી છે. આ વૉઇસ નોટમાં રાહુલ દ્રવિડે કહ્યું, ‘હેલો ગૌતમ, હું તમને શુભેચ્છા પાઠવું છું. ભારતીય ટીમ સાથેનો મારો કાર્યકાળ પૂરો થયાને 3 અઠવાડિયા થઈ ગયા છે. મેં જે રીતે પહેલા બાર્બાડોસ અને પછી મુંબઈમાં કોચિંગનો કાર્યકાળ પૂરો કર્યો, મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું. હું ઈચ્છું છું કે તમે મારા કરતા વધુ સારા પરિણામો મેળવો અને એ પણ ઈચ્છું કે તમને હંમેશા ફિટ ખેલાડીઓ મળે અને નસીબ પણ તમારો સાથ આપે, કારણ કે તેની ખૂબ જ જરૂર છે. જ્યારે અમે સાથે રમતા હતા, ત્યારે મેં તમારી બેટિંગમાં તે ઝલક જોઈ છે જે તમે તમારું સર્વસ્વ આપતા હતા. તમે તમારા વિરોધીઓ સમક્ષ ક્યારેય શરણાગતિ સ્વીકારી ન હતી અને ત્યારે પણ મેં તમારી નોંધ લીધી હતી.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

મુશ્કેલ સમયમાં પણ સ્માઈલ કરો

દ્રવિડે વધુમાં કહ્યું કે, ‘અહીં ઘણી અપેક્ષાઓ હશે. તમે સૌથી ખરાબ સમયમાં પણ એકલા નહીં રહેશો. તમને ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, મેનેજમેન્ટ અને ભૂતકાળના નેતાઓનો સહયોગ મળશે. એક કોચથી બીજા કોચને સંદેશ એ છે કે મુશ્કેલ સમયમાં પણ સ્માઈલ કરો. મને ખાતરી છે કે તમે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશો.

ગૌતમ ગંભીર ભાવુક થયો

દ્રવિડની આ વોઈસ નોટ બાદ ગૌતમ ગંભીર એકદમ ઈમોશનલ જોવા મળ્યો હતો. તેણે કહ્યું, ‘આ સંદેશ મારા માટે ઘણો અર્થ છે. આ સંદેશ એવા વ્યક્તિ તરફથી આવ્યો છે કે જેમની તરફ હું હંમેશા જોતો હતો જ્યારે તે રમે છે. મને લાગે છે કે દ્રવિડ પાસેથી ઘણું શીખવા જેવું છે, માત્ર મારા માટે જ નહીં પરંતુ આવનારી પેઢી અને વર્તમાન પેઢી માટે પણ. હું બહુ ભાવુક નથી થતો, પણ મને લાગે છે કે આ સંદેશે મને ખરેખર લાગણીશીલ બનાવી દીધી છે.

આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના 3 ‘કેપ્ટન’, હાર્દિક પંડ્યાને મળી કમાન, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">