T20 World Cup 2024: ભારતને રોડવાનું સપનું જોતું પાકિસ્તાન ખૂદ રડ્યું, વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું
પહેલા અમેરિકા અને પછી ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થવા માટે સંઘર્ષ કરી રહી હતી. જ્યારે ભારતે અમેરિકાને હરાવ્યું ત્યારે તેની આશા થોડી વધી હતી, પરંતુ હવે પાકિસ્તાનની યાત્રા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. બાબર આઝમની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનની આડ અસર એવી રહી છે કે બાબર આઝમની ટીમની હજુ એક મેચ બાકી છે પરંતુ તે પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ફ્લોરિડામાં વરસાદને કારણે આયર્લેન્ડ અને અમેરિકા વચ્ચેની મેચ રમાઈ શકી ન હતી અને અમેરિકન ટીમને વધુ એક પોઈન્ટ મળ્યો હતો. આ સાથે તે સુપર-8માં પહોંચી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બાબર આઝમની કપ્તાનીમાં આ ટીમ તેની પ્રથમ બંને મેચ હારી ગઈ હતી. આ હારને કારણે 2022ની ફાઈનલ રમી રહેલી પાકિસ્તાની ટીમનું ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાનું જોખમ હતું. આ પછી ટીમે કેનેડાને હરાવીને જીતનું ખાતું ખોલ્યું, તો બીજી તરફ ભારતે અમેરિકાને હરાવ્યું. આના કારણે થોડા સમય માટે પાકિસ્તાનની આશા જાગી હતી પરંતુ હવે તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. પાકિસ્તાનની છેલ્લી મેચ 16 જૂને આયર્લેન્ડ સામે થવાની છે. ફ્લોરિડામાં યોજાનારી આ મેચ ટીમ માટે માત્ર ઔપચારિક રહેશે.
પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી જ કેમ બહાર થઈ ગયું?
પાકિસ્તાનની ટીમ સુપર-8 રાઉન્ડમાં પહોંચવા માટે અમેરિકાની હાર પર પણ નિર્ભર હતી. જો અમેરિકા તેની બાકીની બંને મેચ હારી ગયું હોત તો સુકાની બાબર આઝમની કપ્તાની હેઠળની આ ટીમને આયર્લેન્ડને હરાવીને આગળ વધવાની તક મળી હોત. ભારતે અમેરિકાને હરાવ્યું હતું, પરંતુ આયર્લેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જેના કારણે અમેરિકાને એક પોઈન્ટ મળ્યો અને તેના 5 પોઈન્ટ થઈ ગયા. હવે જો પાકિસ્તાન અંતિમ મેચ જીતે તો પણ માત્ર 4 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે, તેથી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. આ તો ગાણિતિક કારણો હતા, પરંતુ ટીમને આ ખરાબ સ્થિતિમાં લાવવા પાછળ અન્ય ઘણા કારણો જવાબદાર છે.
પરસ્પર મતભેદોમાં ટીમ હારી ગઈ
પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચેના પરસ્પર મતભેદો ટીમના ખરાબ પ્રદર્શનનું સૌથી મોટું કારણ હતું. ટુર્નામેન્ટ દરમિયાન ટીમ એકજૂટ દેખાતી ન હતી. ઈમાદ વસીમ અને મોહમ્મદ આમિર ઘૂંટાયેલા દેખાતા હતા. એવા પણ સમાચાર હતા કે શાહીન આફ્રિદી અને બાબર આઝમ વચ્ચેની વાતચીત અટકી ગઈ છે. જોકે બોલરોએ પોતાની તાકાત બતાવી હતી, પરંતુ બેટ્સમેનો સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડી પણ આ વખતે ચાલી શકી નથી. બંનેએ મળીને 183 રન બનાવ્યા પરંતુ ખૂબ જ ધીમી બેટિંગ કરી.
બેટ્સમેનો ફ્લોપ, કપ્તાની બની નબળી કડી
ટીમના મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરનો ફ્લોપ શો ચાલુ રહ્યો. ઉસ્માન ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, આઝમ ખાન અને શાદાબ ખાન ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા. પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન પહેલા અમેરિકા અને પછી ભારત સામે હારી ગયું અને હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. આ સિવાય બાબર આઝમની કેપ્ટન્સી ફરી એકવાર ટીમ માટે નબળી કડી સાબિત થઈ.
આ પણ વાંચો : મુખ્ય કોચ બનતા જ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયામાં સૌથી પહેલા કરશે આ ફેરફારો, ઉઠાવ્યો મોટો સવાલ
