AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાવ્યા મારને પૈસા પરત કર્યા… IPL 2025 સ્થગિત થતાં જ સનરાઈઝર્સ હૈદરાબાદે મોટું પગલું ભર્યું

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ 10 મેના રોજ હૈદરાબાદમાં યોજાવાની હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, IPL 2025 તાત્કાલિક અસરથી 1 અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. તેથી આ મેચ હવે શક્ય બનશે નહીં. હવે SRH ના માલિક કાવ્યા મારને એક મોટું પગલું ભર્યું છે.

કાવ્યા મારને પૈસા પરત કર્યા… IPL 2025 સ્થગિત થતાં જ સનરાઈઝર્સ હૈદરાબાદે મોટું પગલું ભર્યું
Kavya MaranImage Credit source: PTI
| Updated on: May 09, 2025 | 6:55 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, BCCIએ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું છે. આ દરમિયાન યોજાનારી બધી મેચો મુલતવી રાખવામાં આવી છે. બોર્ડના આ નિર્ણય બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારને એક મોટું પગલું ભર્યું હતું. તેમણે દર્શકોને પૈસા પરત કરવાની જાહેરાત કરી છે. તેમની ટીમ 10 મેના રોજ હૈદરાબાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવાની હતી. પરંતુ હવે ટુર્નામેન્ટ સ્થગિત થવાને કારણે આ મેચ થશે નહીં. તેથી SRH ફ્રેન્ચાઈઝી આ મેચની ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરશે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.

ટિકિટના પૈસા પરત કરવાની જાહેરાત કરી

IPL ગવર્નિંગ કાઉન્સિલે એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ દરમિયાન તમામ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે વાત કર્યા પછી, 9 મેથી 1 અઠવાડિયા માટે લીગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ, SRHએ 10 મેના રોજ યોજાનારી મેચની ટિકિટના પૈસા પરત કરવાની જાહેરાત કરી હતી. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, IPL 2025 તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. ટિકિટ રિફંડ અંગેની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.”

ભારતીય સેનાને સલામ કર્યા

બીજી તરફ, ફ્રેન્ચાઈઝીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. SRHએ ભારતીય સેનાને ટેકો આપીને સલામ કરી છે. SRH ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “અમે ગર્વથી એક થઈને અમારા સૈનિકોનું સન્માન કરીએ છીએ, અને ભારતીય સેનાના અતૂટ સમર્પણને સલામ કરીએ છીએ. જય હિન્દ.”

SRH પ્લેઓફમાંથી બહાર

કેપ્ટન પેટ કમિન્સની આગેવાની હેઠળની SRH ટીમે આ સિઝનમાં 11 મેચ રમી છે. આ દરમિયાન, તેમણે ફક્ત 3 મેચ જીતી, જ્યારે 7 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો. એક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ. આ રીતે, 7 પોઈન્ટ સાથે, તેઓ પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને છે અને પ્લેઓફની રેસમાંથી બહાર છે. જો તેઓ KKR સહિત બાકીની બધી 3 મેચ જીતી જાય તો પણ તેઓ આગળના રાઉન્ડમાં જઈ શકશે નહીં. આનો અર્થ એ થયો કે આ મેચોનું હવે તેમના માટે કોઈ ખાસ મહત્વ નથી.

આ પણ વાંચો: IPL 2025 : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે આ વિદેશી ખેલાડીઓ ભારત છોડી પોતાના દેશ પરત ફરશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">