AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બુમરાહ આ ભારતીય ક્રિકેટર પર થયો ગુસ્સે, ખોટી માહિતી ફેલાવવાનો લગાવ્યો આરોપ

જસપ્રીત બુમરાહે એક પૂર્વ ભારતીય ક્રિકેટર પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવી તેની ટીકા કરી હતી. આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ જસપ્રીત બુમરાહની બોલિંગ રણનીતિ અને વર્કલોડ મેનેજમેન્ટ અંગે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યા હતા. બુમરાહે સોશિયલ મીડિયા પર જે પ્રતિક્રિયા આપી છે, તેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

બુમરાહ આ ભારતીય ક્રિકેટર પર થયો ગુસ્સે, ખોટી માહિતી ફેલાવવાનો લગાવ્યો આરોપ
bumrahImage Credit source: PTI
| Updated on: Sep 25, 2025 | 10:21 PM
Share

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 2025 એશિયા કપ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફની એક સોશિયલ મીડિયા પોસ્ટની આકરી ટીકા કરી છે. કૈફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બુમરાહની બોલિંગ સ્ટ્રેટેજી અને વર્કલોડ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા હતા, જેનો બુમરાહે સીધો જવાબ આપતાં તેને ખોટો ગણાવ્યો હતો. એશિયા કપ ફાઈનલ પહેલા જ આ વિવાદે જોર પકડ્યું છે, જ્યાં ભારત પાકિસ્તાન અથવા બાંગ્લાદેશનો સામનો કરશે.

બુમરાહ મોહમ્મદ કૈફ પર ભડક્યો

હકીકતમાં, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં એક અલગ યોજના સાથે રમી રહી છે. જસપ્રીત બુમરાહને ડેથ ઓવરનો નિષ્ણાત માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં, તે પાવરપ્લેમાં તેની ચારમાંથી ત્રણ ઓવર ફેંકી રહ્યો છે, જેના પર મોહમ્મદ કૈફે સવાલ ઉઠાવ્યો છે. કૈફે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં બુમરાહ સામાન્ય રીતે અંતિમ ઓવરોમાં વધુ બોલિંગ કરતો હતો . જોકે, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં આવું નથી, જે વિરોધી ટીમના બેટ્સમેનો માટે રાહતની વાત છે.

મોહમ્મદ કૈફે શું કહ્યું?

કૈફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ” રોહિતની કેપ્ટનશીપ હેઠળ બુમરાહ સામાન્ય રીતે 1, 13, 17 અને 19 ઓવર બોલિંગ કરતો હતો. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ તેણે એશિયા કપની શરૂઆતની ઓવરમાં ત્રણ ઓવર ફેંકી હતી. ઈજાથી બચવા માટે બુમરાહ હાલમાં શરીરને ફીટ રાખીને બોલિંગ કરવાનું પસંદ કરી રહ્યો છે. બાકીની 14 ઓવરમાં બુમરાહનો એક ઓવર બેટ્સમેન માટે મોટી રાહત છે, આ વર્લ્ડ કપમાં મજબૂત ટીમો સામે ભારતને નુકસાન પહોંચાડી શકે છે. ” બુમરાહે આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું,” પહેલા ખોટું, ફરી ખોટું.” બીજા શબ્દોમાં કહીએ તો બુમરાહે કૈફના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

એશિયા કપ 2025માં બુમરાહનું પ્રદર્શન

બુમરાહ એશિયા કપ 2025માં અત્યાર સુધીમાં ચાર મેચ રમી ચૂક્યો છે અને પાંચ વિકેટ ઝડપી છે. તેનો ઈકોનોમી રેટ 7.33 છે. તેને અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. તેને વેસ્ટ ઈન્ડીઝ સામે 2 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થનારી બે ટેસ્ટ મેચની ઘરઆંગણે શ્રેણી માટે ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. આ વાત પણ પુષ્ટિ કરે છે કે બુમરાહ હાલમાં સંપૂર્ણપણે ફિટ છે.

આ પણ વાંચો: Ravindra Jadeja : વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો તે ઉંમરે રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન કેવી રીતે બન્યો?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
g clip-path="url(#clip0_868_265)">