IPL 2022: ઋતુરાજના ફોર્મને લઈને જાડેજાનું મોટું નિવેદન, કહ્યું- કેવી રીતે વાપસી કરશે

ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટીમના ખેલાડીઓને કહ્યું કે તેમને ઓપનર ઋતુરાજ ગાયકવાડના સમર્થનની જરૂર છે. ગાયકવાડ ગયા વર્ષે વિજેતા અભિયાનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

IPL 2022: ઋતુરાજના ફોર્મને લઈને જાડેજાનું મોટું નિવેદન, કહ્યું- કેવી રીતે વાપસી કરશે
Ravindra Jadeja (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 11:58 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની શરૂઆત કઇ ખાસ રહી નથી. ટીમને તેની પ્રથમ ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય લીગની પ્રથમ ત્રણ મેચમાં ચેન્નાઈને હારનો સામનો કરવો પડ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. તો બીજી તરફ ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) નું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે પ્રથમ ત્રણ મેચમાં સિંગલ ડિજિટમાં આઉટ થયો હતો. આવી સ્થિતિમાં ટીમના કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ તેને સપોર્ટ કર્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટીમના ખેલાડીઓને કહ્યું કે, “ઓપનર ઋતુરાજ ગાયકવાડના સપોર્ટની જરૂર છે. ગાયકવાડ ગયા વર્ષે ચેન્નઇ ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 16 મેચમાં 635 રન બનાવ્યા હતા. તેણે 2021 માં ઓરેન્જ કેપ મેળવવા માટે CSK ટીમના સાથી ફાફ ડુ પ્લેસિસને માત્ર બે રનથી પાછળ રાખ્યો હતો.

ઋતુરાજ ગાયકવાડના ફોર્મ અંગે રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે ગાયકવાડને તેમની ટીમના સમર્થનની જરૂર છે. જાડેજાએ વધુમાં કહ્યું, મને લાગે છે કે પાવરપ્લેમાં અમે ઘણી વિકેટો ગુમાવી છે. અમે જે બોલ ઇચ્છતા હતા તે ગતિ અમને મળી ન હતી. આપણે મજબૂત રીતે પાછા આવવું પડશે. આપણે ઋતુરાજ ગાયકવાડને ટેકો આપવાની જરૂર છે. અમે જાણીએ છીએ કે તે ઘણો સારો ખેલાડી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

શિવમ દુબેની શાનદાર બેટિંગ

શિવમ દુબે વિશે વાત કરતા સુકાની રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, શિવમ દુબેએ તમામ મેચોમાં સારી બેટિંગ કરી હતી. અમે ચોક્કસપણે આગામી મેચમાં મજબૂત વાપસી કરીશું અને સખત મહેનત કરીશું. તમને જણાવી દઈએ કે 9 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. આવી સ્થિતિમાં સુકાની રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ કેવી રીતે વાપસી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : પાકિસ્તાનની ટીમ જુલાઈમાં નેધરલેન્ડનો પ્રવાસ ખેડશે

આ પણ વાંચો : IPL 2022: KKR ના મુખ્ય કોચ મેક્કુલમે આ ગુજરાતી ખેલાડીના કર્યા ભરપેટ વખાણ, ધોની સાથે કરી સરખામણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">