AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતને મળ્યો બીજો ‘વૈભવ સૂર્યવંશી’, 13 વર્ષના ખેલાડીએ 30 ઓવરની મેચમાં ફટકારી ત્રેવડી સદી

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે આ લીગમાં રમનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો અને પછી સદી પણ ફટકારી. હવે બિહારના 13 વર્ષના બેટ્સમેને બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ખેલાડીએ 30 ઓવરની મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી.

ભારતને મળ્યો બીજો 'વૈભવ સૂર્યવંશી', 13 વર્ષના ખેલાડીએ 30 ઓવરની મેચમાં ફટકારી ત્રેવડી સદી
Vaibhav Suryavanshi & Ayan RajImage Credit source: PTI/X
| Updated on: Jun 16, 2025 | 6:20 PM

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આખી દુનિયામાં પોતાની છાપ છોડી છે. IPL 2025 તેના માટે ખૂબ જ ખાસ હતું. તેણે નાની ઉંમરે ક્રિકેટની સૌથી મોટી લીગમાં ધૂમ મચાવી હતી. બિહારન આ યુવા ક્રિકેટરને ભારતીય ક્રિકેટનો ભવિષ્યનો સ્ટાર પણ માનવામાં આવે છે. હવે બિહારના વધુ એક યુવા બેટ્સમેનએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. બિહારના મુઝફ્ફરપુરના 13 વર્ષના યુવા ક્રિકેટર અયાન રાજે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે.

અયાન રાજે ફટકારી ત્રેવડી સદી

ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ લીગની 30 ઓવરની મેચમાં સંસ્કૃતિ ક્રિકેટ એકેડેમી તરફથી રમતા, અયાને 327 રનની વિસ્ફોટક ઈનિંગ રમી, જેમાં તેણે 41 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા. આ ઈનિંગ માત્ર તેની પ્રતિભાનું પ્રદર્શન નથી, પરંતુ ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય તરફ પણ નિર્દેશ કરે છે. આ મેચમાં અયાને 134 બોલનો સામનો કર્યો અને 244ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. અયાનની આ ઈનિંગમાં ફક્ત બાઉન્ડ્રી (ચોગ્ગા અને છગ્ગા) થી 296 રન આવ્યા, જે તેની આક્રમક બેટિંગ દર્શાવે છે.

માન્ચેસ્ટરમાં 35 વર્ષથી કોઈ ભારતીય સદી ફટકારી શક્યો નથી, જાણો કોણે ફટકારી છે સદી
પતિને આપ્યા છૂટાછેડા, ફ્લોપ કરિયર બાદ મિસ વર્લ્ડ યુક્તા મુખીએ છોડી દીધું બોલીવુડ.. જણાવ્યું કારણ
શું તમે પણ પરસેવાની દુર્ગંધથી પરેશાન છો? તો અજમાવી જુઓ આ 7 ઉપાયો
TV ની ટોપ પેઈડ ગ્લેમર એક્ટ્રેસ શ્વેતા તિવારી છે કરોડોની માલકિન, જુઓ Photos
આ બધું ChatGPT સાથે શેર કરશો નહીં, નહિતર...
Travel Tips: આ છે દુનિયાના 8 સુંદર દેશ, જ્યાં ફરવા માટે ભારતીયોને વીઝાની જરૂર નથી

વૈભવ સૂર્યવંશી સૌથી મોટી પ્રેરણા

અયાન રાજે પોતાની સિદ્ધિનો શ્રેય તેના નજીકના મિત્ર અને ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશીને આપ્યો. અયાને કહ્યું, ‘વૈભવ ભાઈ મારી સૌથી મોટી પ્રેરણા છે. અમે બાળપણથી જ સાથે ક્રિકેટ રમી રહ્યા છીએ. તેણે આજે પોતાનું મોટું નામ બનાવ્યું છે અને હું પણ તેના પગલે ચાલી રહ્યો છું.’ તમને જણાવી દઈએ કે, અયાનના પિતા પણ એક ભૂતપૂર્વ ક્રિકેટર છે, જેમણે ભારત માટે રમવાનું સ્વપ્ન જોયું હતું. અયાન તેના પિતાનું સ્વપ્ન પૂરું કરવા માંગે છે.

વૈભવ સૂર્યવંશી IPL 2025માં ચમક્યો

વૈભવ સૂર્યવંશીની જેમ, અયાન રાજ પણ બિહાર માટે ગર્વ બની ગયો છે. જ્યારે વૈભવે IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો, જેના કારણે તે IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો હતો. હવે અયાનની આ ઈનિંગ પણ કમાલ હતી. લાંબા સમયથી પ્રશ્નાર્થ હેઠળ રહેલું બિહાર ક્રિકેટ હવે આ યુવા સ્ટાર્સના દમ પર નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ આ તારીખે મેદાનમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, ICCએ જાહેર કર્યું ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ
રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
g clip-path="url(#clip0_868_265)">