IND vs SL : મેચના 48 કલાક પહેલા મોટો ફટકો, સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થતા આખી સિરીઝમાંથી થયો બહાર

ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. T20 સિરીઝ શરૂ થવામાં માત્ર 48 કલાક બાકી છે અને બે ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમથી જ નહીં પરંતુ આ આખી સિરીઝથી જ બહાર થઈ ગયા છે. સિરીઝ શરૂ થવા પહેલા જ બે ખેલાડીઓ બહાર થઈ જતા મોટો ફટકો પડ્યો છે.

IND vs SL : મેચના 48 કલાક પહેલા મોટો ફટકો, સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થતા આખી સિરીઝમાંથી થયો બહાર
Nuwan Tushara in IPL 2024
Follow Us:
| Updated on: Jul 25, 2024 | 3:50 PM

હવે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરૂ થવામાં માત્ર 48 કલાક બાકી છે, પરંતુ તે પહેલા જ યજમાન શ્રીલંકાની ટીમ મોટી મુશ્કેલીમાં છે. શ્રીલંકાની ટીમે T20 સિરીઝ શરૂ થવાના 24 કલાક પહેલા પોતાના બે ખેલાડીઓને ગુમાવ્યા છે. બુધવારે શ્રીલંકન ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા ઈજાના કારણે બહાર થઈ ગયો હતો અને હવે ગુરુવારે ફાસ્ટ બોલર નુવાન તુષારા પણ T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તુષારાને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ છે, જેના કારણે તે આગામી કેટલાક દિવસો સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.

નુવાન તુષારા ઈજાગ્રસ્ત થતા સિરીઝમાંથી બહાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નુવાન તુષારા બુધવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘાયલ થયો હતો. તુષારા ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને આ દરમિયાન તેના ડાબા હાથની એક આંગળી તૂટી ગઈ. આંગળીમાં ફ્રેક્ચર છે અને તેને આ ઈજામાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે. તુષારાનું બહાર થવું શ્રીલંકા માટે મોટો ફટકો છે, કારણ કે આ ખેલાડી T20માં શ્રીલંકાનો વિકેટટેકિંગ બોલર છે. તાજેતરમાં, આ ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં 3 મેચમાં હેટ્રિક સહિત 8 વિકેટ ઝડપી હતી. તુષારા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો છે અને અને રોહિત શર્મા-હાર્દિક પંડ્યા સાથે ઘણો સમય વિતાવ્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શ્રીલંકાએ કોને તક આપી?

શ્રીલંકાની ટીમે હજુ સુધી નુવાન તુષારાના સ્થાને ખેલાડીની જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવે છે કે ડાબોડી ઝડપી બોલર દિલશાન મધુશંકાને T20 ટીમમાં તક આપવામાં આવી શકે છે. દુષ્મંથા ચમીરાની વાત કરીએ તો તેની જગ્યાએ આસિતા ફર્નાન્ડોને ટીમમાં જગ્યા મળી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે. આ પછી આવતા મહિને ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે.

આ પણ વાંચો: જો આમ થશે તો 5 વર્ષ સુધી કોઈ ખેલાડી ટીમ બદલી શકશે નહીં, IPL ફ્રેન્ચાઈઝીએ આશ્ચર્યજનક માંગ કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">