Virat Kohli ને મોટા સમાચાર, ઈજાને લઈ ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ ODI માં રમવુ મુશ્કેલ, ટીમ સાથે લંડન પહોંચ્યો નહીં!

વિરાટ કોહલી (Virat Kohli) એ ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીની છેલ્લી બે મેચોમાં ભાગ લીધો હતો. જોકે તેણે ખાસ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન સામે આવી રહેલા સમચાર મુજબ હવે વિરાટ કોહલી ઈજાને લઈ પ્રથમ વન ડે મેચ ગુમાવી શકે છે.

Virat Kohli ને મોટા સમાચાર, ઈજાને લઈ ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ ODI માં રમવુ મુશ્કેલ, ટીમ સાથે લંડન પહોંચ્યો નહીં!
Virat Kohli ઇજાને લઈ પ્રથમ વન ડે ગુમાવી શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 11:02 PM

ઈંગ્લેન્ડ સામે મંગળવારથી શરૂ થઈ રહેલી વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા (Team India) ને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ઈજાગ્રસ્ત થયો છે અને તેનુ પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચ દરમિયાન વિરાટ કોહલીને ગ્રોઈન ઈંજરી થઈ હતી, જેના કારણે તેના માટે પ્રથમ વનડેમાં રમવું મુશ્કેલ છે. ત્રીજી T20 મેચ રવિવાર 10 જુલાઈના રોજ નોટિંગહામમાં રમાઈ હતી અને ODI શ્રેણી મંગળવાર 12 જુલાઈથી લંડનના ઓવલ ખાતેથી શરૂ થઈ રહી છે.

કોહલીની ઈજાની વિગતો વિસ્તારથી સામે આવી શકી નથી. ઈજા કેટલી ગંભીર છે તે પણ સ્પષ્ટ નથી. તેમ છતાં, ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને પ્રથમ મેચમાં બ્રેક આપી શકે છે. જેથી તે આગામી બે મેચો માટે ઉપલબ્ધ રહે. શ્રેણીની બીજી મેચ 14 જુલાઈએ લોર્ડ્સમાં અને ત્રીજી મેચ 17 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાવાની છે.

કોહલીને આ ઈજા કયા સમયે થઈ તે હજુ સ્પષ્ટ નથી. રિપોર્ટ અનુસાર, BCCIના એક સૂત્રએ કહ્યું, “વિરાટને છેલ્લી મેચ દરમિયાન ગ્રોઈન ઈંજરી થઈ છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આવું બેટિંગ દરમિયાન થયું કે ફિલ્ડિંગ દરમિયાન. તે કદાચ આવતીકાલની મેચ નહીં રમે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોહલી લંડન પહોંચ્યો નહીં

એટલું જ નહીં, મળતી માહિતી મુજબ કોહલી ટીમ બસમાં નોટિંગહામથી લંડન પણ આવ્યો નથી. તેની પાછળ મેડિકલ ચેકઅપ એક કારણ હોઈ શકે છે. શિખર ધવન, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા, જેમને સોમવારે માત્ર ODI ટીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓએ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ જ કારણ છે કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં પાંચ મેચની T20 સીરીઝ માટે હવે મંગળવારે ટીમની પસંદગી કરવામાં આવશે.

પહેલાથી જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા કોહલી માટે આ સારા સમાચાર નથી. ટીમ ઈન્ડિયા અને કોહલી માટે પોતે ફોર્મમાં પરત ફરવું મહત્વપૂર્ણ છે અને આવી સ્થિતિમાં તેના માટે દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં તે ન માત્ર રન બનાવીને તેની ખોવાયેલી ગતિ પાછી મેળવી શકે છે, સાથે જ T20 વર્લ્ડ કપ ટીમ માટે દાવો પણ કરી શકે છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">