AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: વિશ્વકપ પહેલા પાકિસ્તાન થી ડેલિગેશન આવશે ભારત, તો અમદાવાદ સહિતના સ્થળ બદલાશે?

Pakistan security delegation: પાકિસ્તાનથી એક પ્રતિનિધિ મંડળ આવશે, જે પાકિસ્તાન ક્રિકેટ ટીમ વિશ્વ કપની મેચ જે સ્થળે રમશે એ તમામ વેન્યૂની મુલાકાત લેશે અને આ અંગે અહેવાલ તૈયાર કરશે.

World Cup 2023: વિશ્વકપ પહેલા પાકિસ્તાન થી ડેલિગેશન આવશે ભારત, તો અમદાવાદ સહિતના સ્થળ બદલાશે?
Pakistan security delegation will come to india
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 2:08 PM
Share

ODI World Cup 2023 ને લઈ આતુરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન સૌથી વધુ રાહ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ જોવામાં આવી રહી છે. અમદાવાદમાં હાઈવોલ્ટેજ મેચ રમાનારી છે. આ માટે BCCI જ નહીં પરંતુ દેશ અને વિદેશના ચાહકો પણ અમદાવાદમાં મેચ જોવા માટે થઈને તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય બોર્ડ અમદાવાદ સહિતના 10 તમામ સ્ટેડિયમ કે જ્યાં વિશ્વ કપની મેચ રમાનારી છે, જેને તૈયાર કરવામાં લાગી ચુક્યુ છે. આમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જોકે આ દરમિયાન મીડિયા રિપોર્ટસ આવી રહ્યા છ કે, પાકિસ્તાનનુ સિક્યુરીટી ડેલીગેશન ભારત આવનનાર છે.

પાકિસ્તાનથી આવનારા અધિકારીઓની ટીમ જે પાંચ સ્થળો પર પાકિસ્તાનની ટીમ મેચ રમનાર છે અને રોકાણ કરનાર છે એ સ્થળોની મુલાકાત છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વિશ્વ કપમાં લીગ તબક્કાની મેચ પાંચ શહેરોમાં રમનાર છે. આ સ્થળમાં અમદાવાદ ઉપરાંત ચેન્નાઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને કોલકાતાનો સમાવેશ થાય છે.

સિક્યુરીટી ડેલિગેશન શુ કરશે?

સવાલ એ થતો હશે કે, પાકિસ્તાન દ્વારા જે ડેલિગેશન આવશે એ કરશે શું. તો આ ડેલિગેશન આવીને એ તમામ સ્થળોના સલામતીના સંદર્ભમાં માહિતી મેળવશે. તમામ સ્થળો પર ખેલાડીઓ અને ચાહકો તથા મીડિયા માટે કેવા પ્રકારની સુવિધાઓ હશે તેનો અહેવાલ તૈયાર કરશે. આ અહેવાલ પાકિસ્તાન સરકારને આપવામાં આવશે. આ ડેલિગેશન રિપોર્ટના આધાર પર પાકિસ્તાન ક્રિકેટ ટીમને તેઓની સરકાર દ્વારા ભારત પ્રવાસ અંગે મંજૂરી આપશે એમ માનવામાં આવે છે.

રીપોર્ટ્સ મુજબ ડેલિગેશન દ્વારા સ્થળ અંગેની વિગતો મેળવ્યા બાદ સુવિધા કે સુરક્ષાને લઈ કોઈ અસંતોષ જણાશે તો તેઓએ પાકિસ્તાનની સરકારને લેખિત અહેવાલમાં જાણકારી આપશે. જેને આધારે પાકિસ્તાન સરકાર તેમના ક્રિકેટ બોર્ડ મારફતે મેચનુ સ્થળ બદલવા માટે માંગ કરી શકે છે. એટલે કે ICC અને BCCIને આ અંગે સ્થળ બદલવા માટે બતાવી શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં 10 કરોડની ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકાશે, અમિત શાહ પ્રારંભ કરાવશે

પાકિસ્તાનને સ્થળને લઈ વાંધો

માનવામાં આવી રહ્યુ છે કે, ડેલિગેશનની મુલાકાત બાદ આવી જ માંગણી કરવામાં આવી શકે છે, કારણ કે અમદાવાદ સહિતના સ્થળને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વાંધો ઉઠાવ્યો હતો. પીસીબીએ શેડ્યૂલના એલાન પહેલા જ 2 સ્થળોને બદલવાને લઈ માંગ કરી હતી. બેંગ્લુરુમાં પણ ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાને લઈ પાકિસ્તાને મુશ્કેલી બતાવી હતી. જ્યારે અફઘાનિસ્તાન સામે ચેન્નાઈમાં રમવાને લઈ વાંધો રજૂ કર્યો હતો. આસીસીને આ માટે લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ શેડ્યૂલમાં કોઈ જ ફેરફાર થયો નહોતો.

આ પણ વાંચોઃ  Monsoon 2023: પ્રાંતિજમાં 1 કલાકમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો, હનુમાનજી મંદિર પરિસરમાં પાણી ભરાયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">