T20 WC Breaking : અભિષેક શર્માને કરો બહાર… ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનરે પ્લેઈંગ-11 માં ફેરફારની આપી સલાહ
ટીમ ઈન્ડિયા સામે હાલમાં પ્રશ્ન એ છે કે શું તેમણે અભિષેક શર્માને બહાર કરવો જોઈએ કે બીજી તક આપવી જોઈએ? જવાબો અને સૂચનો વિવિધ છે. જોકે, ભારતીય ક્રિકેટના સૌથી વિસ્ફોટક ઓપનરોમાંના એકે સ્પષ્ટ જવાબ આપ્યો છે.

જેમ જેમ T20 વર્લ્ડ કપ 2026 આગળ વધી રહ્યો છે, તેમ તેમ ટીમ ઈન્ડિયાને સતત નીચેના પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે: શું બેટિંગ ક્રમ બદલવો જોઈએ? શું અભિષેક શર્માને બહાર કરવો જોઈએ? શું સંજુ સેમસન ઇનિંગની શરૂઆત કરશે?
સેહવાગે અભિષેકને બહાર કરવાનું સૂચન કર્યું
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં સંકટનો સામનો કરશે અને તેને ઉકેલવા માટે અભિષેક શર્માને બહાર કરવાની માંગણીઓ થશે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે, ઝિમ્બાબ્વે સામેની મહત્વપૂર્ણ સુપર 8 મેચ પહેલા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગે અભિષેકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાનું સૂચન કર્યું છે.
સેમિફાઇનલમાં પહોંચવા કપરા ચઢાણ
T20 વર્લ્ડ કપ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ માટે હવે કરો યા મરોની સ્થિતિ છે. સુપર 8 ની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે મળેલી કારમી હારથી ભારત બહાર થવાની આરે આવી ગયું છે. સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ટીમ ઇન્ડિયાએ તેમની બંને મેચ જીતવી પડશે, અને તે પછી પણ, અંતિમ ચારમાં સ્થાન નિશ્ચિત નથી.
‘Abhishek को समझना होगा, confidence और overconfidence के बीच का फ़र्क’
️ @virendersehwag और @tiwarymanoj की चर्चा, Cricbuzz Live हिन्दी पर #T20WorldCup pic.twitter.com/9dHlt7RRmk
— Cricbuzz (@cricbuzz) February 26, 2026
અભિષેકને બહાર કરી સેમસનને રમાડો
પરંતુ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે જીતશે કે નહીં તે અંગે શંકા છે, જેનું મુખ્ય કારણ બેટિંગમાં નિષ્ફળતાઓ છે. ખાસ કરીને, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઓપનર અભિષેક શર્માનું ફોર્મ ચિંતાનો વિષય રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે તેને આ મેચમાંથી ડ્રોપ કરવાનું સૂચન કર્યું છે. સેહવાગે કહ્યું, “જો હું ત્યાં હોત, તો હું અભિષેક શર્માને આ મેચમાંથી ભાર કરી સંજુ સેમસનને તક આપી હોત, કારણ કે ઝિમ્બાબ્વે સામે આ છેલ્લી તક છે. શ્રેષ્ઠ ઇન-ફોર્મ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારો.”
Virendra Sehwag suggested to drop Abhishek Sharma:-
Virender Sehwag has made his stance crystal clear.
“If I were there, I would give Abhishek Sharma a break and bring in Sanju Samson. This is the only match where you can afford to try. If India lose this, they are out.” pic.twitter.com/Rq39V5r2O1
— All about Cricket (@CricHitmanThala) February 26, 2026
બેટિંગ ક્રમમાં પણ ફેરફાર કરવાની જરૂર
અભિષેકને પડતો મૂકવા ઉપરાંત, બેટિંગ ક્રમ બદલવાની સતત ચર્ચા થઈ રહી છે, અને સેહવાગે આ અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. અભિષેક અને ઇશાનને ઓપનર તરીકે જાળવી રાખીને બેટિંગ ક્રમ બદલવા વિશે પૂછવામાં આવતા સેહવાગે કહ્યું, “હું ઇચ્છું છું કે સૂર્યકુમાર યાદવ નંબર 3 પર આવે અને તિલક નંબર 4 પર બેટિંગ કરે. પછી, બેટ્સમેનોને ડાબા-જમણા હાથના કોમ્બિનેશન અનુસાર અથવા સામેવાળી ટીમના બોલર અનુસાર મોકલો. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મુક્તપણે રમવું. એવું લાગે છે કે ભારતીય ટીમ દબાણ હેઠળ રમી રહી છે, અને બેટ્સમેન આઉટ થવાથી ડરી રહ્યા છે.”
