રાહુલ દ્રવિડના પુત્રને કેટલી ગંભીર ઈજા થઈ? ભારત માટે આ મેચમાં રમવું મુશ્કેલ બન્યું

18 વર્ષનો સમિત દ્રવિડ ઈજાનો શિકાર છે. તેને ઘૂંટણમાં ઈજા થઈ છે અને હાલમાં તે NCAમાં સારવાર હેઠળ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમિતને ઈજામાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે, જેના કારણે તેના માટે ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 મેચમાં રમવું મુશ્કેલ બની ગયું છે.

રાહુલ દ્રવિડના પુત્રને કેટલી ગંભીર ઈજા થઈ? ભારત માટે આ મેચમાં રમવું મુશ્કેલ બન્યું
Rahul Dravid & Samit DravidImage Credit source: X
Follow Us:
| Updated on: Sep 30, 2024 | 10:30 PM

રાહુલ દ્રવિડના પુત્ર સમિતને ઓસ્ટ્રેલિયા અંડર 19 સામે મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે. જોકે સમિત દ્રવિડને ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચેની ODI શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. અને હવે લાગે છે કે તે ચેન્નાઈમાં 4 દિવસીય મેચ પણ રમી શકશે નહીં. ભારતીય અંડર-19 ટીમના કોચ હૃષીકેશ કાનિટકરે પણ આ અંગે પોતાની આશંકા વ્યક્ત કરી છે. કાનિટકરના મતે સમિત દ્રવિડની રિકવરી હાલમાં મુશ્કેલ છે.

સમિત દ્રવિડ ઘૂંટણની ઈજાથી પરેશાન

સમિત દ્રવિડને ઘૂંટણમાં ઈજા છે. હૃષિકેશ કાનિટકરે કહ્યું કે હાલમાં સમિત NCAમાં છે અને ઘૂંટણની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. મને ખબર નથી કે અત્યારે શું સ્થિતિ છે. તે નિશ્ચિત છે કે ઓસ્ટ્રેલિયા A સામે 4 દિવસીય મેચ રમવી તેના માટે મુશ્કેલ છે.

પ્રથમ વખત ભારત A ટીમમાં પસંદગી

ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડની પ્રથમ વખત ભારત A ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. મહારાજા T20 અને કૂચ બિહાર ટ્રોફીમાં મૈસુર વોરિયર્સ માટેના તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને આ તક આપવામાં આવી હતી.

વજન પ્રમાણે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ, જાણો
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
દૂધમાં ગોળ નાખીને પીવાથી જાણો શું થાય છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
સિંગરનો ફેવરિટ તહેવાર છે નવરાત્રી, ઢોલિવુડ અને બોલિવુડમાં આપ્યા છે હિટ ગીત
ધનની સમસ્યા દૂર કરવા માટે દેવરાહા બાબાએ જણાવ્યો સાબર મંત્ર, જુઓ Video

NCAમાં સારવાર ચાલી રહી છે

ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે પ્રથમ 4 દિવસીય મેચ 30 સપ્ટેમ્બરથી ચેપોક ખાતે શરૂ થઈ રહી છે. કાનિટકરે આ મેચની પૂર્વ સંધ્યાએ સમિત દ્રવિડ વિશે અપડેટ આપ્યું હતું. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે સમિત દ્રવિડને ઘૂંટણની ઈજા ક્યારે થઈ અને તે કેટલી ગંભીર છે. તેમણે NCAમાં ચાલી રહેલી સારવાર વિશેની માહિતી સહજતાથી શેર કરી.

ખેલાડીઓને 4 દિવસની મેચથી ફાયદો થશે

ભારતીય અંડર-19 ટીમના કોચ હૃષીકેશ કાનિટકરે સમિત દ્રવિડ સિવાય પણ અન્ય પાસાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે અંડર 19 લેવલ પર આવી 4-દિવસીય મેચ રમવાનો વિચાર સારી શરૂઆત છે. આ માત્ર બેટ્સમેન અને બોલર માટે જ નહીં પરંતુ ફિલ્ડર માટે પણ એક આદર્શ પડકાર હશે. મને લાગે છે કે વિદેશી ટીમો સામે આવી મેચ રમવી એ સારી વાત છે. હું વિદેશી ટીમો સાથે પણ આવી મેચો રમ્યો હતો. આવી મેચોથી ઘણો ફાયદો થાય છે. ખેલાડીઓ માટે આ એક શાનદાર શ્રેણી હશે.

આ પણ વાંચો: IND vs BAN: કાનપુર ટેસ્ટ વચ્ચે ટીમ ઈન્ડિયામાંથી ત્રણ ખેલાડી થયા બહાર, BCCIનો મોટો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">