Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલના એક દિવસ પહેલા દિગ્ગજ ભારતીય ખેલાડીનું થયું નિધન

મુંબઈના અનુભવી સ્પિનર અને દિગ્ગજ ખેલાડી​​નું નિધન થયું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને આ માહિતી આપી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના એક દિવસ પહેલા આ ખરાબ સમાચાર મળ્યા છે અને આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચ કાળી પટ્ટી પહેરીને રમી શકે છે.

Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલના એક દિવસ પહેલા દિગ્ગજ ભારતીય ખેલાડીનું થયું નિધન
Indian Cricketer passes awayImage Credit source: X
Follow Us:
| Updated on: Mar 03, 2025 | 10:18 PM

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ 4 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાવાની છે અને આ મેચ પહેલા જ ભારતીય ક્રિકેટને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખર દેશે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે. આ દિગ્ગજ ખેલાડી પદ્મકર શિવાલકર છે, જેમનું સોમવાર 3 માર્ચે અવસાન થયું હતું. પદ્મકર શિવાલકર 84 વર્ષના હતા અને તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા.

દિગ્ગજ ભારતીય ખેલાડીનું અવસાન

પદ્મકર શિવાલકર ભારતીય ઘરેલુ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી હતા. પદ્મકર શિવાલકર 20 વર્ષ મુંબઈ માટે રમ્યા હતા. જોકે, ઉત્તમ પ્રદર્શન છતાં તેમને ક્યારેય ટીમ ઈન્ડિયામાં રમવાની તક ક્યારેય મળી નહીં. પદ્મકર શિવાલકર ટીમ ઈન્ડિયામાં રમી શક્યા નહીં કારણ કે તે સમયે તેમની જેમ ડાબોડી સ્પિનર ​​બિશન સિંહ બેદી ટીમ ઈન્ડિયાના મુખ્ય બોલરોમાંના એક હતા.

Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી
ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?

પદ્મકર શિવાલકરની કારકિર્દી

શિવાલકરે 21 વર્ષની ઉંમરે 1961/62 સિઝનમાં પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી શરૂ કરી હતી અને 1987/88 સિઝન સુધી રમ્યા હતા. પદ્મકર શિવાલકરે 47 વર્ષની ઉંમર સુધી મુંબઈ માટે રમતા રહ્યા. પદ્મકર શિવાલકરે 124 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 589 વિકેટ લીધી. પદ્મકર શિવાલકરે 42 વખત પાંચ વિકેટ લીધી હતી, જ્યારે તેઓ 13 વખત મેચમાં 10 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. 1972/73ની રણજી ટ્રોફી સિઝનની ફાઈનલમાં તમિલનાડુ સામે તેમણે પહેલી ઈનિંગમાં 16 રન આપીને 8 વિકેટ અને બીજી ઈનિંગમાં 18 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ મજબૂત પ્રદર્શનના આધારે મુંબઈની ટીમે સતત 15મું રણજી ટાઈટલ જીત્યું હતું.

ક્રિકેટ જગતમાં શોકની લહેર

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પ્રમુખ અજિંક્ય નાઈકે પદ્મકર શિવાલકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પદ્મકર શિવાલકરે કહ્યું, ‘મુંબઈ ક્રિકેટે આજે એક દિગ્ગજને ગુમાવી દીધા છે. પદ્મકર શિવાલકર સરનું રમતમાં યોગદાન, ખાસ કરીને સર્વકાલીન મહાન સ્પિનરોમાંના એક તરીકે, હંમેશા યાદ રાખવામાં આવશે. તેમનું સમર્પણ, કૌશલ્ય અને મુંબઈ ક્રિકેટ પર તેમનો પ્રભાવ અજોડ છે. તેમનું નિધન ક્રિકેટ સમુદાય માટે મોટું નુકસાન છે. તેમના આત્માને શાંતિ મળે.

લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત

પદ્મકર શિવાલકરના નિધન પર ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં કાળી પટ્ટી પહેરીને રમી શકે છે. તમને જણાવી દઈએ કે પદ્મકર શિવાલકરને 2016 માં સી.કે. નાયડુને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રોહિત શર્માને ‘જાડિયો’ કહેવા પર BCCI થયું ગુસ્સે, કોંગ્રેસ નેતા શમા મોહમ્મદને આપ્યો યોગ્ય જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">