ODI World Cup 2027 : શું વર્લ્ડકપ રમશે રોહિત-કોહલી? દિગ્ગજના નિવેદનથી હલચલ મચી
વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં ભારત માટે વનડે ફોર્મેટ રમી રહ્યા છે. ત્યારે આવતા વર્ષે વનડે વર્લ્ડકપમાં આ બંને ખેલાડી ટીમનો ભાગ બનશે. આના પર બધાની નજર છે. બંને ખેલાડી અનેક વખત વર્લ્ડકપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.

સાઉથ આફ્રિકામાં રમાનાર 2027 વનડે વર્લ્ડકપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે કે નહી? ક્રિકેટ ચાહકોના મનમાં આ સવાલ સતત ચાલી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ભવિષ્ય પર દિગ્ગજોની સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે આ મુદ્દા પર ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને ગુજરાત ટાઈટન્સના હેડ કોચ આશિષ નેહરાનું પણ નિવેદન સામે આવ્યું છે. નેહરાનું માનવું છે કે, આટલી જલ્દી એ નક્કી કરવું યોગ્ય નથી. કે, બંને ખેલાડીઓ વર્લ્ડકપ રમશે. હજુ વધારે સમય છે અને આ વચ્ચે કાંઈ પણ થઈ શકે છે.
હાલમાં કોલકાતામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આશિષ નેહરાએ કહ્યું 2027 વર્લ્ડકપમાં હજુ પણ સમય વધ્યો છે. ભારતીય ટીમની પાસે હવે વનડે મેચ ઓછી રમવાનું શેડ્યુલ છે. ત્યારે આટલી દુરની ભવિષ્યવાણી કરવું યોગ્ય નથી.
રોહિત -કોહલીએ છેલ્લા 10 વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું
નેહરાના મુજબ આપણે સૌ જાણીએ છીએ કે, રોહિત અને વિરાટે છેલ્લા 10 વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.પરંતુ મારા માટે 13 મહિનાનો સમય ખુબ મોટો હોય છે. હજુ પણ એ કહેવું મુશ્કેલ છે કે,તે વર્લ્ડકપ ટીમમાં હશે કે નહી.ઉંમરને બાજુ પર રાખો તો પણ ભારતીય ક્રિકેટમાં પરિસ્થિતિઓ ઝડપથી બદલાય છે.
View this post on Instagram
ગિલને લઈ શું કહ્યું?
પોતાની વાતને સાબિત કરવા માટે નેહરાએ ગિલનું ઉદાહરણ આપ્યું છે. તેમણે કહ્યું કે, શુભમન ગિલ ભલે વનડે અને ટેસ્ટ ટીમના મોટા ચેહરો હોય પરંતુ તે ભારતની ટી20 ટીમનો ભાગ નથી. રમવાનું ફોર્મેટ જલ્દી બદલાય રહ્યું છે. આ માટે કોઈ પણ ખેલાડીની જગ્યા પાક્કી માનવી યોગ્ય નથી.
વર્લ્ડકપના સમય રોહિત શર્મા 40 વર્ષના અને વિરાટ કોહલી લગભગ 39 વર્ષનો થશે. પરંતુ નેહરાનું માનવું છે કે, જો બંને ખેલાડી સતત રન બનાવતા રહે તો. ઉંમરમાં કોઈ અડચણ આવશે નહી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, કોઈ પણ ખેલાડીને પસંદ કરવો કે બહાર કરવાનો નિર્ણય માત્ર કોચનો નથી હોતો. તેની પાછળ પસંદગીકર્તા અને બોર્ડનો પણ મોટો હાથ હોય છે. જો તે શાનદાર પ્રદર્શન કરે છે. તો તેને ટીમમાં ન રાખવાનો કોઈ પ્રશ્ન જ થતો નથી.
