Breaking News : વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં પર્સનલ બોડીગાર્ડ સાથે કેમ મુસાફરી કરી રહ્યો છે ? BCCIના નિયમો શું છે?
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પોતાના બોડીગાર્ડને કારણે વિવાદમાં ફસાઈ ગયો છે. તેમના પર એક પત્રકાર સાથે દુર્વ્યવહાર અને ગેરવર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની પહેલી મેચમાં બેટથી તો કાંઈ કમાલ કરી શક્યો નહી પરંતુ આ ખેલાડી હવે ખોટા કારણે ચર્ચામાં આવ્યો છે. વિરાટ કોહલીના બોડીગાર્ડે ઈંગ્લેન્ડમાં ભારતીય પત્રકાર સાથે ગેરવર્તન કર્યું છે. કેટલાક ભારતીય પત્રકાર જે ઈંગ્લેન્ડના પ્રવાસને કવર કરવા માટે પહોંચ્યા છે. તેમણે ટ્વિટ કરી આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. હવે સવાલ એ છે કે, આખરે વિરાટ કોહલી પર્સનલ બોડીગાર્ડને લઈને કેમ ફરે છે. શું વિરાટ કોહલી બીસીસીઆઈના નિયમ તોડી રહ્યો છે? ચાલો સમગ્ર વિસ્તારથી જાણીએ.
શું પર્સનલ બોડીગાર્ડ રાખી શકે છે ખેલાડી?
બીસીસીઆઈના હાલના નિયમો મુજબ કોઈ પણ ખેલાડી પોતાની સાથે પર્સનલ બોડીગાર્ડ રાખી શકતો નથી. પોતાના પર્સનલ સ્ટાફનો કોઈ પણ ખેલાડી પોતાની સાથે કોઈ ટુર કે ઘરેલું સીરિઝમાં સાથે રાખી શકતો નથી. બીસીસીઆઈ ખેલાડીઓને ખુદ સિક્યોરિટી પ્રોવાઈડ કરાવે છે. પરંતુ તેમ છતાં વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં પોતાના પર્સનલ બોડીગાર્ડની સાથે ફરતો જોવા મળી રહ્યો છે. એવું પણ બની શકે કે, તેમણે બીસીસીઆઈ પાસે સ્પેશિયલ પરવાનગી લીધી હોય. તો જ આવું થઈ રહ્યું છે.
White Tshirt guy who is bodyguard of Virat Kohli is misbehaving with Journalist and said inappropriate words (fuck off from here) in the england.
How BCCI allowed Virat Kohli to keep his personal bodyguard when ICC/BCCI provide security in home and away region.…
— Kartik Sharma (@KartikSharmaFC) July 15, 2026
વિરાટ સાથે પડછાયાની જેમ ફરી રહ્યો છે બોડીગાર્ડ
વિરાટ કોહલીનો જે બોડીગાર્ડ વિવાદમાં આવ્યો છે. તેની સાથએ ફરી રહ્યો છે. બર્મિંગહામમાં જ્યારે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ફરવા નીકળ્યો હતો તો બોડીગાર્ડ તેની સાથે જ હતો. તેના કોઈ ચાહકો વિરાટ કોહલીની પાસે ન આવવાની ચેતવણી આપી હતી. પરંતુ હવે કાર્ડિફ રવાના થતાં પહેલા આ બોડીગાર્ડે મીડિયા કર્મી સાથે ગેરવર્તન કર્યું હતુ.
આરોપ છે કે, આ બોડીગાર્ડે ટીમના વીડિયો લઈ રહેલા પત્રકારને અપશબ્દો કહી રહ્યો હતો. આરોપ તો એ પણ છે કે, આ બોડીગાર્ડે એક ચાહકનો ફોન છીનવી લીધો હતો અને ફોન તોડી નાંખ્યો હતો. આ ઘટના બાદ ભારતીય પત્રકાર બીસીસીઆઈ સાથે આ મામલે મોટી કાર્યવાહીની વાત કરી રહ્યા છે. આ મામલો મોટો થઈ રહ્યો છે. બની શકે કે, વિરાટ કોહલી આ મામલે સ્પષ્ટતા કરે.
