AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વૈભવ સૂર્યવંશીનો ક્રેઝ, સ્ટેડિયમમાં બેઠકો વધારવામાં આવી, પરંતુ મર્યાદિત સંખ્યામાં લોકો જ મેચ જોઈ શકશે

ભારત અને આયરલેન્ડ વચ્ચે 26 અને 28 જૂનના રોજ ટી20 સીરિઝની 2 મેચ રમાશે. આ બંન્ને મેચ દેશની રાજધાની બેલફાસ્ટમાં રમાશે. એક બાજુ આ સીરિઝને લઈ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યોછે.

Breaking News : વૈભવ સૂર્યવંશીનો ક્રેઝ, સ્ટેડિયમમાં બેઠકો વધારવામાં આવી, પરંતુ મર્યાદિત સંખ્યામાં લોકો જ મેચ જોઈ શકશે
Image Credit source: AI
| Updated on: Jun 25, 2026 | 10:41 AM
Share

આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં ક્રિકેટનો રંગ જોવા મળશે. કારણકે, ભારતીય ક્રિકેટ ટીમ ટી20 સીરિઝ માટે મેદાનમાં ઉતરશે.ભારત અને આયરલેન્ડ વચ્ચે 26 અને 28 જૂનના રોજ ટી20 સીરિઝની 2 મેચ રમાશે. આ બંન્ને મેચ દેશની રાજધાની બેલફાસ્ટમાં રમાશે. પરંતુ આ સીરિઝ માટે ખુબ ઉત્સાહ છે. આટલો ઉત્સાહ કેમ ના હોય કારણ કે, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં પોતાની બેટિંગથી ધમાલ મચાવશે.

વૈભવ સૂર્યવંશી પહેલી વખત સીનિયર ટીમમાં રમતો જોવા મળશે. તેના ડેબ્યુ પર બધાની નજર છે. આ કારણે બેલફાસ્ટના સ્ટેડિયમમાં સીટ વધારવામાં આવી રહી છે. તેમ છતાં 10 હજાર ચાહકો આ સ્ટેડિયમમાં મેચ જોઈ શકશે નહી.

બેલફાસ્ટમાં કેટલા ચાહકો મેચ જોઈ શકશે?

ક્રિકબઝના રિપોર્ટ મુજબ વૈભવ સૂર્યવંશીને પહેલી વખત સામે રમતા જોવાનાને લઈ આ સીરિઝને લઈ આયરલેન્ડ અને આસપાસના દેશોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કારણ છે કે, બેલફાસ્ટના જે મેદાન પર આ મેચ રમાશે. અહી મોટી સંખ્યામાં ચાહકોને સામેલ કરવા માટે અસ્થાઈ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. તેમ છતાં આ સંખ્યા 10 હજાર ચાહકો સુધી પહોંચી શકશે નહી.

વાત એ છે કે, 26 અને 28 જૂનના રોજ રમાનારી ટી20 મેચનું વેન્યુ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ મેદાન છે. આ મેદાનમાં ચાહકોને બેસવાની વ્યવસ્થા વધારે નથી કારણ કે, આયરલેન્ડમાં ક્રિકેટ મેચ જોનારાઓની સંખ્યા એટલી નથી. જાણકારી મુજબ અંદાજે સાડા 4 હજાર ચાહકો જ સ્ટેડિયમમાં મેચ જોઈ શકે છે. આ કારણે અસ્થાઈ સ્ટેન્ડ લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેનાથી પણ સંખ્યા માત્ર 7,000 સુધી પહોંચી શકશે.

વૈભવ સૂર્યવંશીનું ઈન્ટરેનશનલ ડેબ્યુ ક્યારે થશે?

જ્યારે મેદાનની ક્ષમતા નિશ્ચિત છે, અને કામચલાઉ બેઠકોથી તેમાં વધુ વધારો થશે નહીં, ભારત અને આયરલેન્ડના દરેક ક્રિકેટ ચાહક, ટેલિવિઝનથી લઈને મોબાઇલ ફોન સુધી, આ બે મેચ જોશે. છેવટે, વૈભવ સૂર્યવંશી પહેલી વાર સિનિયર ભારતીય ટીમ માટે રમતા જોઈ શકાય છે. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે તે આ સીરિઝમાં ડેબ્યૂ કરશે કે નહીં. તેને પહેલી મેચમાં જ તક મળશે કે બીજી મેચની રાહ જોવી પડશે. આ બધા પ્રશ્નોના જવાબ શુક્રવાર, 26 જૂને જાહેર થશે.

સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડનાર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">