AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જો ક્વોલિફાયર 2 રદ થાય છે, તો IPL 2026 ફાઇનલ માટે કોને ટિકિટ મળશે, ગુજરાત કે રાજસ્થાન?

GT vs RR Qualifier 2 : ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલ 2026ની બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. જ્યાં તેનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું સામે થશે.

Breaking News : જો ક્વોલિફાયર 2 રદ થાય છે, તો IPL 2026 ફાઇનલ માટે કોને ટિકિટ મળશે, ગુજરાત કે રાજસ્થાન?
| Updated on: May 28, 2026 | 2:00 PM
Share

GT vs RR Qualifier 2 : આઈપીએલ 2026ની ફાઈનલની રેસ હવે નજીક આવી રહી છે. આ વખતે ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કોણ આવશે તેનો સમય આવી ગયો છે. ફાઈનલની બીજી ટીમ માટે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટકકર થશે. ગુજરાત અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પ્લેઓફ રાઉન્ડની બીજી ક્વોલિફાયર મેચ રમાશે. જીતનારી ટીમ સીધી ફાઈનલની ટિકિટ મળશે. તેમજ હારનારી ટીમની સફર સમાપ્ત થશે. પરંતુ જો વરસાદના કારણે આ મેચ રદ થઈ તો કઈ ટીમ ફાઈનલમાં જશે. જો તમારા મનમાં પણ આ સવાલ છે તો તેનો જવાબ આપણે આજે જાણીએ.

રદ થઈ મેચ તો કોણ ફાઈનલ રમશે?

રવિવારે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026ની ફાઈનલ રમાશે. જેમાં બેંગ્લોર પોતાનો ખિતાબ બચાવવા માટે મેદાનમાં ઉતરશે. તેનો સામનો ગુજરાત ટાઈટન્સ અથવા રાજસ્થાન રોયલ્સ બંન્નેમાંથી કોઈ એક સાથે થશે. ફાઈનલમાં પહોંચવા માટે બંન્ને ટીમ 29 મેના રોજ ક્વોલિફાયર-2માં ટકરાશે. જો આ દિવસે વરસાદ થયો કે, અન્ય કોઈ કારણોસર મેચ રદ થઈ તો. આ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આઈપીએલના નિયમો અનુસાર મેચ પર નિર્ણય લેવામાં આવશે.

જો કોઈ પણ પરિસ્થિતિમાં આ મેચમાં એક પણ બોલ રમાય નહી. તો અમ્પાયર સૌથી પહેલા સુપર ઓવરનો પ્રયત્ન કરશે. જેના દ્વારા વિજેતા નક્કી થશે. જો સ્થિતિ એવી બને કે, સુપર ઓવર પણ ન રમાય તો લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલના આધાર પર નિર્ણય લેવામાં આવશે. હાલની સીઝનમાં ગુજરાત ટાઈટન્સને ફાઈનલની ટિકિટ મળશે. આવું એટલા માટે કારણ કે, લીગ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ બીજા સ્થાને હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને રહી હતી.

મેચના દિવસે કેવું હશે વાતાવરણ?

આ દિવસે વરસાદ પડશે. તો જવાબ છે હવામાન વિભાગ અનુસાર 28 મેથી લઈ શુક્રવાર 29 મે સવાર સુધી ચંદીગઢ અને આસપાસના વિસ્તારની આસપાસના વિસ્તારોમાં કરા પડી શકે છે. આને લઈ ઓરેન્જ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાતાવરણ સાફ રહેશે. વરસાદ કે કરા પડવાની કોઈ શક્યતા નથી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
g clip-path="url(#clip0_868_265)">