AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતના હુમલા બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ, ખેલાડીઓ અને ટીમો PSL છોડીને ભાગવાની તૈયારીમાં

પાકિસ્તાન સુપર લીગની મેચો દુબઈ અથવા દોહામાં શિફ્ટ કરી શકાય છે. ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. વિદેશી ખેલાડીઓ PSL છોડવાની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન, PCB ભારે મનથી મોટો નિર્ણય લઈ શકે છે.

Breaking News : ભારતના હુમલા બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ, ખેલાડીઓ અને ટીમો PSL છોડીને ભાગવાની તૈયારીમાં
pakistan super leagueImage Credit source: X
Follow Us:
| Updated on: May 08, 2025 | 8:22 PM

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હવે એવો આંચકો લાગવા જઈ રહ્યો છે જેનો તેમણે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. ડર એટલો વધી ગયો છે કે હવે પાકિસ્તાન સુપર લીગ ટુર્નામેન્ટ દેશની બહાર પણ ખસેડી શકાય છે. એવા અહેવાલો છે કે PSLની બાકીની મેચો દુબઈ અથવા દોહામાં શિફ્ટ થઈ શકે છે.

પાકિસ્તાન સુપર લીગ દુબઈ અથવા દોહા શિફ્ટ થશે

ગુરુવારે બપોરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આ મુદ્દા પર ચર્ચા કરી. જો આવું થશે તો તે પાકિસ્તાન અને PCB બંને માટે શરમજનક બાબત હશે. જો ખેલાડીઓ અને ટીમોને ટુર્નામેન્ટની વચ્ચે જ પાકિસ્તાન છોડવાની ફરજ પાડવામાં આવે તો આનાથી ખરાબ શું હોઈ શકે?

પાકિસ્તાન પર ભારે દબાણ છે

તેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PSLની બાકીની મેચો વિદેશમાં યોજવાની યોજના બનાવી રહ્યું છે કારણ કે ત્યાં ઘણા બધા વિદેશી ખેલાડીઓ હાજર છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગનો ભાગ છે. પાકિસ્તાનમાં ભારતની કાર્યવાહીથી ઈંગ્લેન્ડના ખેલાડીઓ ડરી ગયા છે અને એવા અહેવાલો છે કે તેમણે ECB પાસેથી મદદ માંગી છે. જો પાકિસ્તાન સુપર લીગની મેચો દોહા અથવા દુબઈ ખસેડવામાં આવે તો PCBને ભારે નાણાકીય નુકસાન થશે.

તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
રિષભ પંતના પરિવાર વિશે જાણો

રાવલપિંડી સ્ટેડિયમ પર ડ્રોન હુમલો

મંગળવારે મોડી રાત્રે POK અને પાકિસ્તાનમાં હવાઈ હુમલા બાદ ગુરુવારે સવારે લાહોર, રાવલપિંડીમાં પણ ડ્રોન હુમલા થયા. આ હુમલાઓ બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. ગુરુવારે રાત્રે રાવલપિંડી સ્ટેડિયમમાં જ્યાં PSL મેચ યોજાવાની હતી ત્યાં પણ ડ્રોન હુમલો થયો હતો. જોકે, આ હુમલા બાદ મેચ મુલતવી રાખવામાં આવી હતી. એટલું જ નહીં, પાકિસ્તાન સુપર લીગની દરેક મેચ હાલ કરાચીમાં શિફ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: Rohit Sharma : ‘ઈજ્જત કરો’… રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતાની સાથે જ આ લોકો પર સાધ્યું નિશાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">