AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN : BCCIએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના આ પ્રવાસમાં 6 મેચો રમાશે, જેની શરૂઆત 3 T20 મેચોથી થશે અને ત્યારબાદ 3 ODI રમાશે. સીરિઝ 22 જુલાઈના રોજ સમાપ્ત થશે.

IND vs BAN : BCCIએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી
Indian women team
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 11:35 PM
Share

એક તરફ રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે, જ્યાં તે ટેસ્ટ, વનડે અને T20 શ્રેણી રમશે. બીજી તરફ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મહિલા ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહી છે. BCCIએ આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ ODI અને T20 શ્રેણી માટે કૌરની કપ્તાની હેઠળ ટીમની પસંદગી કરી હતી. જેમાં સૌથી ચોંકાવનારો નિર્ણય રિચા ઘોષ અને રાજેશ્વરી ગાયકવાડ પર આવ્યો છે. આ પ્રવાસ માટે બંનેની પસંદગી કરવામાં આવી નથી.

ભારતીય ટીમ આ સપ્તાહે બાંગ્લાદેશના પ્રવાસે જશે

ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 9મી જુલાઈથી શરૂ થશે અને 22મી જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાશે, ત્યારબાદ ODI સિરીઝમાં પણ એટલી જ મેચો રમાશે. આ તમામ મેચો મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

રિચા ઘોષ-રાજેશ્વરી ગાયકવાડને સ્થાન ન મળ્યું

આ પ્રવાસ માટે ટીમની જાહેરાતની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે શ્રેણી શરૂ થવાના એક સપ્તાહ પહેલા ખેલાડીઓના નામ જણાવવામાં આવ્યા છે. તેમાં પણ યુવા વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષ અને અનુભવી સ્પિનર ​​રાજેશ્વરી ગાયકવાડને ડ્રોપ કરવું ચોંકાવનારું છે. બંને ખેલાડીઓને બહાર કરવા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી. ઈજાના કારણે કે પછી પ્રદર્શનને કારણે બહાર થયા છે તે સ્પષ્ટ નથી થયું કારણ કે બોર્ડે તેની પ્રેસ રિલીઝમાં આવી કોઈ માહિતી આપી નથી.

આ પણ વાંચોઃ Ashes 2023 : બેન સ્ટોક્સની લડાયક ઇનિંગ જોઈ વિરાટ કોહલીએ કેમ કહ્યું- હું મજાક નથી કરતો, જાણો કારણ

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ (ODI)

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજોત કૌર, પ્રિયા પુનિયા, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, મોનિકા પટેલ, રાશિ કન્નૌજિયા, અનુષા બારેડી, સ્નેહ રાણા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">