BCCI એ રિદ્ધિમાન સાહાના કેસમાં તપાસ સમિતિની રચના કરી, દિગ્ગજ વિકેટકીપર પત્રકારનું નામ આપવા સહમત

રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ થોડા દિવસો પહેલા એક ટ્વીટમાં જણાવ્યું હતું કે એક વરિષ્ઠ પત્રકાર દ્વારા ઇન્ટરવ્યુ આપવાનો ઇનકાર કરવા પર તેમને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ BCCI એ તપાસનું આશ્વાસન આપ્યું હતું.

BCCI એ રિદ્ધિમાન સાહાના કેસમાં તપાસ સમિતિની રચના કરી, દિગ્ગજ વિકેટકીપર પત્રકારનું નામ આપવા સહમત
Wriddhiman Saha એ એક વરિષ્ઠ પત્રકારના મેસેજનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 11:46 PM

ભારતીય ક્રિકેટ ટીમ ના સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને પત્રકાર દ્વારા મળેલી ધમકીની તપાસમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) લાગી ચુક્યુ છે. બોર્ડે આ મામલાની તપાસ માટે પોતાના 3 વરિષ્ઠ અધિકારીઓની એક કમિટી બનાવી છે, જે આવતા સપ્તાહથી તપાસ શરૂ કરશે. સાહાએ થોડા દિવસો પહેલા એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે એક વરિષ્ઠ પત્રકારના મેસેજનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો. જેમાં પત્રકારે સાહાનો ઈન્ટરવ્યુ માટે સંપર્ક કર્યો હતો, પરંતુ જ્યારે વિકેટકીપર તરફથી કોઈ જવાબ ન આવ્યો તો તેણે ભારતીય ક્રિકેટરને ધમકી આપી. સાહા તે પત્રકારની ઓળખ જાહેર કરી રહ્યો ન હતો, પરંતુ હવે તે બોર્ડની તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને પત્રકારનું નામ પણ આપશે.

બોર્ડે શુક્રવારે 25 ફેબ્રુઆરીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ત્રણ સભ્યોની સમિતિ સાહા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે. BCCIએ તેની રજૂઆતમાં કહ્યું, “ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આજે 3 સભ્યોની સમિતિની રચના કરી છે, જે એક વરિષ્ઠ પત્રકાર વતી રિદ્ધિમાન સાહાને ધમકાવવાના મામલાની તપાસ કરશે.”

આવતા અઠવાડિયે તપાસ શરૂ થશે

સાહાના ખુલાસા પછી જ બોર્ડે જાહેરાત કરી હતી કે તે આ મામલે વિકેટકીપર-બેટ્સમેનને સંપૂર્ણ સમર્થન આપશે અને આ મામલે તપાસ કરશે. હવે બોર્ડે તપાસ સમિતિની પણ જાહેરાત કરી છે. આ સમિતિઓમાં બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ખજાનચી અરુણ સિંહ ધૂમલ અને BCCI એપેક્સ કાઉન્સિલના સભ્ય બલતેજ સિંહ ભાટિયાનો સમાવેશ થાય છે. બોર્ડે એ પણ જણાવ્યું કે કમિટી આવતા સપ્તાહથી આ મામલે તેની તપાસ શરૂ કરશે.

Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો
મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ

સાહા પત્રકારનું નામ આપવા તૈયાર છે

આ દરમિયાન એક મહત્વપૂર્ણ અપડેટ એ છે કે સાહા હવે પત્રકારનું નામ જાહેર કરવા માટે તૈયાર છે. સમાચાર એજન્સી પીટીઆઈની માહિતી અનુસાર, સાહાએ તપાસ માટે પોતાની સંમતિ આપી દીધી છે અને તે વરિષ્ઠ પત્રકારની ઓળખ પણ જાહેર કરશે. તપાસ સમિતિની રચના પહેલા બીસીસીઆઈએ સાહાનો સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી માંગી હતી.

સાહાએ ઈમેલ દ્વારા બોર્ડને સમગ્ર ઘટનાનો ખુલાસો પણ કર્યો હતો. જો કે, સાહાએ 23 ફેબ્રુઆરીએ પોતાની પ્રથમ ટ્વિટમાં અને પછી 3 અન્ય ટ્વિટમાં પત્રકારનું નામ લીધું ન હતું. સાહાએ કહ્યું હતું કે તે પત્રકારની કારકિર્દી અથવા તેના પરિવારને નુકસાન પહોંચાડવા માંગતા નથી. સાહાએ બોર્ડને મોકલેલા ઈમેલમાં પણ પત્રકારની ઓળખ જાહેર કરી નથી.

આ પણ વાંચોઃ Formula 1 પણ એક્શન મોડમાં, F1 એ રદ કરી દીધી આ વર્ષની રશિયાની સોચી ગ્રાન્ડ પ્રિ

આ પણ વાંચોઃ Strandja Memorial Boxing: નિક્હત ઝરીન સાથે નીતુ યુક્રેનની બોક્સરને હરાવી ફાઇનલમાં પહોંચી, હવે ગોલ્ડ પર બતાવશે દમ

શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">