IND vs SL: ઇજાને કારણે ઋતુરાજ ગાયકવાડ સિરીઝમાં બાકી બંને મેચ થી બહાર, ઓપનરના સ્થાન માટે આ ખેલાડીનો સમાવેશ

ભારતીય ટીમ (Team India) ને શ્રીલંકા સામેની શ્રેણી પહેલા પણ ઈજા થઈ હતી અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી બાદ દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા.

IND vs SL: ઇજાને કારણે ઋતુરાજ ગાયકવાડ સિરીઝમાં બાકી બંને મેચ થી બહાર, ઓપનરના સ્થાન માટે આ ખેલાડીનો સમાવેશ
Ruturaj Gaikwad પ્રથમ મેચમાં પણ પ્લેયીંગ ઇલેવન થી બહાર હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:50 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) મેદાનમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે અને જીતી રહી છે. પરંતુ મેદાનની બહાર ટીમ પણ સતત ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહી છે. ટીમના ઘણા ખેલાડીઓ સતત ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. ટીમનો યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ઈજાના કારણે શ્રીલંકા સામે ચાલી રહેલી T20 શ્રેણી માંથી બહાર થઈ ગયો છે. એક અહેવાલ મુજબ ઋતુરાજ 26 અને 27 તારીખે ધર્મશાળામાં યોજાનારી મેચમાં પણ રમી શકશે નહીં. ઋતુરાજની જગ્યાએ બેકઅપ તરીકે મયંક અગ્રવાલ (Mayank Agarwal) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઋતુરાજ ગાયકવાડ લખનૌમાં રમાયેલી શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં રમવાનો હતો, પરંતુ મેચ પહેલા તેને જમણા કાંડામાં ઈજા થઈ હતી. કેપ્ટન રોહિત શર્માએ આ અંગે માહિતી આપી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ એક અપડેટ જારી કરીને કહ્યું હતું કે ઋતુરાજ કાંડાની ઈજાને કારણે બેટિંગમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. બોર્ડે કહ્યું હતું કે મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે.

હવે આ મામલે નવી માહિતી એ છે કે આ યુવા બેટ્સમેનને આખી શ્રેણીમાંથી બહાર બેસવું પડશે. ક્રિકબઝના અહેવાલ મુજબ સિનિયર ઓપનર મયંક અગ્રવાલને ઋતુરાજના સ્થાને તરત જ ધર્મશાળા મોકલવામાં આવ્યો છે. મયંકને ટીમ ઈન્ડિયા સાથે બેકઅપ ઓપનર તરીકે જોડવામાં આવ્યો છે. મયંક અગ્રવાલ હાલમાં ચંદીગઢમાં ભારતીય ખેલાડીઓ સાથે ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટ માટે મયંકને એક બાયો-બબલમાંથી બીજામાં ટ્રાન્સફર કરવાનું સરળ હતું. અગાઉ મયંકને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે બેકઅપ તરીકે પણ સામેલ કરવામાં આવ્યો હતો.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ પણ વાંચોઃ Women Cricket Team: પૂર્વ કેપ્ટને વિશ્વકપ પહેલા ઓપનર શેફાલી વર્માને લઇ કહ્યુ, ટીમમાં સ્થાન બચાવવુ હશે તો રન બનાવવા પડશે

આ પણ વાંચોઃ Tennis: નોવાક જોકોવિચે નંબર 1 ની ખુરશી ગુમાવી, ‘બિગ ફોર’ નુ શાસન સમાપ્ત, રશિયન યુવા ટેનિસ સ્ટાર નવો બાદશાહ

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">