AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ઇજાને કારણે ઋતુરાજ ગાયકવાડ સિરીઝમાં બાકી બંને મેચ થી બહાર, ઓપનરના સ્થાન માટે આ ખેલાડીનો સમાવેશ

ભારતીય ટીમ (Team India) ને શ્રીલંકા સામેની શ્રેણી પહેલા પણ ઈજા થઈ હતી અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી બાદ દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા.

IND vs SL: ઇજાને કારણે ઋતુરાજ ગાયકવાડ સિરીઝમાં બાકી બંને મેચ થી બહાર, ઓપનરના સ્થાન માટે આ ખેલાડીનો સમાવેશ
Ruturaj Gaikwad પ્રથમ મેચમાં પણ પ્લેયીંગ ઇલેવન થી બહાર હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:50 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) મેદાનમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે અને જીતી રહી છે. પરંતુ મેદાનની બહાર ટીમ પણ સતત ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહી છે. ટીમના ઘણા ખેલાડીઓ સતત ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. ટીમનો યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ઈજાના કારણે શ્રીલંકા સામે ચાલી રહેલી T20 શ્રેણી માંથી બહાર થઈ ગયો છે. એક અહેવાલ મુજબ ઋતુરાજ 26 અને 27 તારીખે ધર્મશાળામાં યોજાનારી મેચમાં પણ રમી શકશે નહીં. ઋતુરાજની જગ્યાએ બેકઅપ તરીકે મયંક અગ્રવાલ (Mayank Agarwal) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઋતુરાજ ગાયકવાડ લખનૌમાં રમાયેલી શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં રમવાનો હતો, પરંતુ મેચ પહેલા તેને જમણા કાંડામાં ઈજા થઈ હતી. કેપ્ટન રોહિત શર્માએ આ અંગે માહિતી આપી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ એક અપડેટ જારી કરીને કહ્યું હતું કે ઋતુરાજ કાંડાની ઈજાને કારણે બેટિંગમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. બોર્ડે કહ્યું હતું કે મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે.

હવે આ મામલે નવી માહિતી એ છે કે આ યુવા બેટ્સમેનને આખી શ્રેણીમાંથી બહાર બેસવું પડશે. ક્રિકબઝના અહેવાલ મુજબ સિનિયર ઓપનર મયંક અગ્રવાલને ઋતુરાજના સ્થાને તરત જ ધર્મશાળા મોકલવામાં આવ્યો છે. મયંકને ટીમ ઈન્ડિયા સાથે બેકઅપ ઓપનર તરીકે જોડવામાં આવ્યો છે. મયંક અગ્રવાલ હાલમાં ચંદીગઢમાં ભારતીય ખેલાડીઓ સાથે ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટ માટે મયંકને એક બાયો-બબલમાંથી બીજામાં ટ્રાન્સફર કરવાનું સરળ હતું. અગાઉ મયંકને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે બેકઅપ તરીકે પણ સામેલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Women Cricket Team: પૂર્વ કેપ્ટને વિશ્વકપ પહેલા ઓપનર શેફાલી વર્માને લઇ કહ્યુ, ટીમમાં સ્થાન બચાવવુ હશે તો રન બનાવવા પડશે

આ પણ વાંચોઃ Tennis: નોવાક જોકોવિચે નંબર 1 ની ખુરશી ગુમાવી, ‘બિગ ફોર’ નુ શાસન સમાપ્ત, રશિયન યુવા ટેનિસ સ્ટાર નવો બાદશાહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">