AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : એશિયા કપને મળી મંજૂરી, BCCI આ દેશમાં કરશે ટુર્નામેન્ટનું આયોજન

એશિયા કપ 2025 ટુર્નામેન્ટ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ, આ ટુર્નામેન્ટ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. અહેવાલમાં આ ટુર્નામેન્ટના સ્થળ અને ટીમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Asia Cup 2025 : એશિયા કપને મળી મંજૂરી, BCCI આ દેશમાં કરશે ટુર્નામેન્ટનું આયોજન
Asia Cup 2025Image Credit source: PTI
| Updated on: Jul 24, 2025 | 9:57 PM
Share

ઘણા સમયથી એશિયા કપ 2025 ટુર્નામેન્ટ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે, હવે આ ટુર્નામેન્ટની શરૂઆત અંગે એક મોટો અહેવાલ બહાર આવ્યો છે. એશિયા કપ 2025 અંગે ઢાકામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠક યોજાવાની હતી, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમાં હાજરી આપવાનો ઈનકાર કર્યો હતો. જોકે, બાદમાં BCCIએ આ બેઠકમાં ઓનલાઈન હાજરી આપી હતી, જ્યાં એશિયા કપ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ટુર્નામેન્ટના આયોજન માટે સર્વસંમતિ બની ગઈ છે.

એશિયા કપ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે

રિપોર્ટ અનુસાર, આ ટુર્નામેન્ટ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 24 સપ્ટેમ્બરે રમાશે. તેમાં 8 ટીમો ભાગ લેશે, જેમાં ભારત, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન પૂર્ણ-સમયના સભ્યો છે. આ સિવાય ACC પ્રીમિયર કપ વિજેતા ટીમ હોંગકોંગ, ઓમાન અને UAE પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. માહિતી અનુસાર, એશિયા કપ 2025 ટુર્નામેન્ટ UAEમાં યોજાશે. BCCI જ ટુર્નામેન્ટનું યજમાન બનશે અને ટૂંક સમયમાં શેડ્યૂલ જાહેર કરશે.

એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાશે

2026ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાશે. ગયા વખતે એશિયા કપનું આયોજન ODI ફોર્મેટમાં કરવામાં આવ્યું હતું. હાઈબ્રિડ મોડેલ હેઠળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને આ ટુર્નામેન્ટની ટ્રોફી જીતી હતી.

ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન

એશિયા કપની છેલ્લી સિઝન 2023માં રમાઈ હતી. ફાઈનલ મેચ કોલંબોમાં રમાઈ હતી જેમાં ભારતની જીત થઈ હતી. ફાઈનલમાં શ્રીલંકાની ટીમ 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે, ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ 51 રનનો લક્ષ્યાંક ફક્ત 6.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

આ પણ વાંચો: IND vs ENG : ‘કિસ્મત હી ખરાબ હે’… ઈશાન કિશને આ કારણે ટીમ ઈન્ડિયામાં કમબેકની તક ગુમાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">